રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: કચ્છના અબડાસા મતવિસ્તારમાં વિકાસના કામો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતરી આપતા પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામું આપી દીધું છે. વિકાસના કામની ખાતરી મળતા ધારાસભ્ય રાજીનામુ આપે તેવી વાતથી તર્ક વિતર્કો વહેતા થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરાના સંદર્ભે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારા સામે થશે કાર્યવાહી


ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર સીટોને લઈ રાજકારણ ગરમાયું છે. તેવામાં તમામ અટકળોને અંતે રાજ્યના પ્રથમ અબડાસા મતવિસ્તારના ધારાસભ્યે સત્તાવાર રાજીનામું ધરી દીધું છે, જેને લઈને અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા. જેના અનુસંધાને અબડાસાના પૂર્વ ધારાસભ્યે અટકળોનો અંત લાવી રાજીનામાં પાછળના કારણો સ્પષ્ટ કર્યા છે. તેઓના જણાવ્યા અનુસાર રાજીનામાં પાછળ ન કોઈ આંતરિક ખટરાગ કે ન કોઈ નાણાંકિય વ્યવહાર પરંતુ પોતાના મત વિસ્તારનો સર્વાંગી વિકાસ તે એક માત્ર હેતુને પ્રાથમિકતા આપી છે.


ગોંડલમાં ડેટોલ અને ફિનાઇલથી STની 85 બસોની કરાઈ સાફ સફાઈ


અબડાસામાં નર્મદાનું પાણી મળી રહે, નખત્રાણાની જીએમડીસી કોલેજને ગ્રાન્ટેડ કોલેજનો દરજ્જો મળી રહે, અબડાસા વિસ્તારના અનેક ઘર અને મકાનો જે વર્ષોથી નોંધણી વગરના છે. તેની કાયદેસર આકારણી કરવામાં આવે, બહારથી આવેલી અને અબડાસા તેમજ આસપાસના વિસ્તારોમાં સ્થપાયેલી કંપનીઓમાં સ્થાનિક બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે, પાછલા લાંબા સમયથી ગંભીર બની રહેલો ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા નખત્રાણા પાસે બાયપાસ રોડ બને આ તમામ મુદ્દાને ધ્યાનમાં લઈને સરકારે ઉકેલની ખાતરી આપતા રાજીનામું આપ્યું છે. અબડાસા મતવિસ્તારના અબડાસા,લખપત અને નખત્રાણાની જનતાના વિકાસને ધ્યાને રાખી નીંર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.


Live TV:-  


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...