બુરહાન પઠાણ/આણંદ :ધોળકા નજીક એકવાર ગમખ્વાર અકસ્માતથી સવાર પડી છે. આ ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. વટામણ-ભાવનગર હાઈવે પર વારના ગામ પાસે ઈકો કાર અને ટેન્કર સામસામે ટકરાતા ઈકો કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. જેમાં ખંભાતના એક જ પરિવારના 5 લોકોના મોત નિપજ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પ્રાપ્ત માહિતી અનુસાર, ધોળકા પાસે વટામણ ભાવનગર હાઈવે પર ઈકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર ટેન્કરમાં ઘૂસી ગઈ હતી, જેથી તેનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. તો અન્ય ચાર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખંભાતની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો ખંભાતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જેઓ પાલિતાણા પરિક્રમા કરવા ગયો હતો, અને વળતા અકસ્માત નડ્યો હતો.  



કોઠ  પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો અકસ્માત બાદ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેથી પોલીસે વાહનોને હટાવીને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.