Ahmedabad News : રજકોટમાં અગ્નિકાંડ ખેલાયા બાદ હવે તંત્ર જાગ્યું છે. હવે એનઓસીના ધાંધિયા બહાર આવ્યા છે. ત્યારે અમદાવાદના ચાંદખેડામાં આવેલ એક કોમ્પ્લેક્સ પાસે એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ઠેર ઠેર મોટી મોટી ઈમારતો ઉભી કરાઈ છે. પરંતુ એનઓસી લેવાઈ નથી. એનઓસી વગરની ધમધમતી ઈમારતો અનેક છે. આવું કરવાથી માનવ જીવન જોખમાય છે. ત્યારે અમદાવાદની જગતપુર સેવી સ્વરાજ આકાંક્ષા ફ્લેટમાં તપાસ હાથ ધરાઈ હતી. આ ફ્લેટમાં ફાયર એનઓસી છે કે નહીં તે બાબતે તપાસ કરતા અગાઉ વર્ષ 2022 સુધી ફાયર એનઓસી હતી. ત્યારબાદ ફાયર એનઓસી લીધી ન હોવાનું સામે આવ્યું હતું. જો કે પોલીસ ત્યાં પહોંચી ત્યારે જે લોકોની પૂછપરછ કરી તે લોકોએ ફાયર એનઓસી માટે પ્રક્રિયા હાથ ધરી હોવાનું સામે આવ્યુ હતું, 


સાયબર ક્રાઈમથી પૈસા ગુમાવનારાઓ માટે મોટું અપડેટ, પરત મળશે રૂપિયા


પોલીસ ત્યાં પહોંચી ત્યારે જે લોકોની પૂછપરછ કરી તે લોકોએ ફાયર એનઓસી માટે પ્રક્રિયા હાથ ધરી હોવાનું સામે આવ્યુ હતું, પરંતુ એનઓસી વર્ષ 2022 બાદ લીધી ન હતી. જેથી સોસાયટીમાં રહેતા લોકોની જિંદગીને જોખમ થાય તેવું કૃત્ય કર્યું હોવાથી આ મામલે પોલીસે સેવી સ્વરાજ આકાંક્ષાના ચેરમેન, સેક્રેટરી, ટ્રેઝરર તથા કમિટીના સભ્યો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


અમદાવાદમાં લગભગ દરેક વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડીંગ છે. તેથી જો ઈમારતોમાં કોઈ દુર્ઘટના બને તો કોણ જવાબદાર. અમદાવાદમાં હજી કેટલી ઈમારતો એનઓસી વગર ધમધમે છે. 


કોંગ્રેસના હાથમાં કંઈ નહિ આવે, ગુજરાતના Exit Poll ના આંકડાએ ફરી એકવાર સૌને ચોંકાવ્યા