મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં પિતાએ જ લાકડી વડે માર મારીને પોતાના સગા પુત્રની હત્યા કરી દેતા ચકચાર મચી છે. અમરાઇવાડી વિસ્તારમાં આવેલા જોયમાયા નગરના રહેતા પરિવાર વચ્ચે તકરાર થતા પિતાએ જ પુત્રની હત્યા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતાએ પરિવારમાં થયેલી તકરારમાં ગુસ્સામાં ઉશ્કેરાઇને પોતાના જ પુત્રની હત્યા કરી પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. મહત્વનું છે, કે ટીવીમાં રીચાર્જ કરવાની બાબતે પરિવારમાં તકરાર થતા ગોવિંદભાઇ નામના વ્યક્તિએ તેના પુત્ર અજય પરમારની હત્યા કરી હતી.


આઝાદી પહેલાથી ગાજરની ખેતી કરતા ગુજરાતના આ ખેડૂતને મળશે પદ્મશ્રી એવોર્ડ


શહેરમાં અમરાઇવાડી વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનામાં પિતાએ તેના જ પુત્રની હત્યા કરી હતી. આજુ બાજુના લોકોએને હત્યાની જાણ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા હતા. તકરાર થતા પિતાએ લાકડી વડે મારતા પુત્રનું મોત થયું હતું. હત્યા કરી પિતા જાતે જ પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.