અર્પણ કાયદાવાલા, અમદાવાદ: શહેરના અમરાઈવાડીમાં શુરા ભગતની ચાલીમાં રહેતા ૫૪ વર્ષના આધેડ મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન આજે કોવિડ હોસ્પિટલ સિવિલમાં મૃત્યુ નિપજ્યું. જોકે તે મૃતદેહ જ્યારે તેમના પતિને બતાવવામાં આવ્યો તો તેમના શરીરના અંગો પરથી સોનાના ઘરેણા ગાયબ હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ અમરાઈવાડીના 54 વર્ષની મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન આજે કોવિડ હોસ્પિટલ સિવિલમાં મત્યુ નિપજ્યું અને મૃતદેહ જ્યારે પતિએ જોયો તો શરીર પરથી સોનાના દાગીના ગાયબ થયેલા જોવા મળ્યાં. કાનની સોનાની બુટ્ટીઓ, નાકની સોનાની ચૂની અને મોબાઈલ ચાર્જર સુદ્ધા ગાયબ હતાં. આ અંગેની ફરિયાદ મૃતક મહિલાના પતિએ શાહીબાગ પોલીસમાં નોંધાવી છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube