અતુલ તિવારી, અમદાવાદ:  ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે પત્રકાર પરિષદ સંબોધીને ગુજરાતમાં કોરોના વાયરસ પર શું પરિસ્થિતિ છે તેના પર લેટેસ્ટ માહિતી આપી. આજે રાજ્યમાં કોરોના વાયરસના 4 નવા પોઝિટિવ કેસ આવ્યાં. નવા ચારેય કેસ લોકલ છે. જ્યારે બેના મોત થયા છે. જેના કારણે રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 179 પર પહોંચ્યો. અમદાવાદમાં સ્થિતિ ખુબ વણસી રહી છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસ જે નોંધાયા છે તેમાં અમદાવાદના 83 કેસ છે. જયારે 5 મોત થયા છે. અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલનો સ્ટાફ ક્વોરન્ટાઈન કરાયો હોવાના અહેવાલ આવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 179 થયો, વિગતવાર લેટેસ્ટ અપડેટ માટે કરો ક્લિક


મળતી માહિતી મુજબ ગઈ કાલે 60 વર્ષના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીએ જીવરાજ મહેતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. નર્સ, ડોક્ટર સહિતના સ્ટાફને હોમ ક્વોરન્ટાઈન કરાયા હોવાના અહેવાલ છે. દર્દીના સંપર્કમાં આવેલા જીવરાજ મહેતા હોસ્પિટલના 100થી વધુ લોકો હોમ ક્વોરન્ટાઈન હેઠળ છે. આ દર્દીની હાલ SVP હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. 


વડોદરાના વ્યક્તિનું અમેરિકામાં કોરોના વાયરસથી મોત, મોટલ સંચાલક હતા


ક્યાં કેટલા પોઝિટિવ કેસ
કોરોના વાયરસના પોઝિટિવ કેસ જે નોંધાયા છે તેમાં અમદાવાદના 83 કેસ છે. જયારે 5 મોત થયા છે. સુરતના 23 પોઝિટિવ કેસ છે અને 4 લોકોના મોત થયા છે. વડોદરામાં 13 કેસ જ્યારે 2 લોકોના મોત થયા છે. ગાંધીનગરમાં 13 કેસ, રાજકોટમાં 11, ભાવનગરમાં 16 કેસ જેમાં 2 લોકોના મોત થયા છે, પંચમહાલમાં 1 કેસ અને દર્દીનું મોત થયેલ છે. પાટણમાં 5 કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું તેમાંથી મોત નિપજ્યું છે. જામનગરમાં એક કેસ નોંધાયો અને વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. પોરબંદરમાં 3 કેસ, મહેસાણામાં 2, છોટાઉદેપુરમાં એક કેસ, કચ્છમાં 2, મોરબીમાં 1, ગીર સોમનાથમાં 2, સાબરકાંઠામાં એક અને આણંદમાં એક કેસ નોંધાયો છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube