હિતલ પારેખ/બ્રિજેશ દોશી/ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ પ્રવર્તમાન કોરોના વાયરસ (covid 19)ની સ્થિતિ અંગે આજે રાજ્યના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા અગ્રણી તબીબો તેમજ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, વલસાડ, ભાવનગર જિલ્લા મથકોથી ખાનગી ક્ષેત્રના તબીબો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરી હતી. તેમજ આ મેડિકલ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં હાજર રહ્યા હતા. 


અમદાવાદમાં બીજા 100-200 નવા કેસ સામે આવવાની શક્યતા : વિજય નહેરા