ઝી બ્યુરો/પંચમહાલ: સરકારી નોકરીઓ માટે થતી ભરતી પ્રક્રિયા વિવાદમાં ન આવે તેવું ભાગ્યે જ ગુજરાતમાં આજકાલ જોવા મળે છે. ત્યારે પંચમહાલમાં થયેલ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી વિવાદમાં સપડાઈ છે. ભરતી પ્રક્રિયામાં મેરીટમાં ગંભીર છબરડાના આક્ષેપો સાથે આજ રોજ પંચમહાલની આઇસીડીએસ કચેરી ખાતે અપીલમાં વેરિફિકેશન માટે આવેલા ઉમેદવારો અને તેમના પરિવારજનોને ભરતી પ્રક્રિયા રદ્દ કરવાની માંગ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાણીને પછાડી અદાણી બન્યા એશિયાના નંબર વન ધનપતિ, હવે આટલી સંપત્તિના છે માલિક


પંચમહાલમાં થોડા સમય અગાઉ થયેલ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયામાં ગંભીર છબરડો થયો હોવાના આક્ષેપ સાથે ગોધરાની આઇસીડીએસ કચેરી ખાતે મેરીટમાં સમાવિષ્ટ ન હોય તેમજ જેમની અરજી ખોટા કારણો દર્શાવી રદ્દ કરવામાં આવી હોય તેવા ઉમેદવારો અને તેમના પરિવારજનો અપીલમાં આવ્યા હતા. જ્યાં તેમના ડોક્યુમેન્ટ સહિત રજૂઆતનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. મેરીટ પ્રક્રિયામાં ઉમેદવારોને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે મહિલા ઉમેદવારો આઇસીડીએસ કચેરીએ ખાતે ઉમટી પડ્યા હતાં. 


માતાને મળવા આવેલ B.Sc વિદ્યાર્થીનું કરૂણ મોત, પરિવારને મળ્યા બાદ 24 કલાકમાં કાળ ભર..


એક જ ઉમેદવારનું નામ મેરીટમાં બે વાર દર્શાવવામાં આવતા અને તેમાં પણ મેરીટ રેટ અલગ અલગ બતાવવામાં આવતા ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં છબરડો થયો હોવાની શંકા થઈ હતી. જિલ્લાના આઇસીડીએસ વિભાગ દ્વારા તેડાગર અને કાર્યકરની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. જે બાબતે અસંતુષ્ટ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં છબરડાને લઈ જિલ્લા અધિકારી સમક્ષ અપીલ અરજી દાખલ કરી હતી. મેરીટમાં ન આવેલ ઉમેદવારોએ અપીલ કરતા તેઓને વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા.


દવાના પત્તા પર લાલ લાઈન જોવા મળે તો....સાવધાન થઈ જજો! ખાસ જાણો તેનો અર્થ 


જો કે અધિકારી દ્વારા ઉમેદવારોની અપીલ ગ્રાહ્ય ન રાખવામાં આવતા મહિલા ઉમેદવારો દ્વારા કારાયો હોબાળો કરાયો હતો. સમગ્ર મામલે જિલ્લા આઇસીડીએસ અધિકારીએ મીડિયા સમક્ષ કોઈ પણ ઉત્તર આપવાની અને મળવાની સ્પષ્ટ ના પાડી હતી. જ્યારે બીજી તરફ ઉમેદવારોએ પોતાની અરજી માન્ય રાખવા અથવા ભરતી પ્રક્રિયા રદ્દ કરવાની માંગ કરી છે. 


કોઈપણ વિસ્તારમાં ઘર ખરીદતા પહેલાં જાણી લેજો આ 6 સૌથી અગત્યની વાત, નહીં તો હેરાન થશો