ગૌરવ દવે/રાજકોટ: લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણમાં મતદાન ઓછું થતા ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે. લોકશાહીના મહાપર્વ પર મતદાન વધુ થાય તે માટે મતદાન જાગૃતિ વધારવા અપીલ કરવામાં આવી રહી છે. રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા મતદારોની જાગૃતતા વધારવા અનોખી પહેલ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાંતામાં ભાજપે મોટો ખેલ પાડ્યો! કોંગ્રેસના ગઢમાં સભા કરી 2000થી વધુ કોંગ્રેસીઓને...


રાજકોટના એલોપેથી તબીબો દર્દીના પ્રિસ્ક્રીપ્શનમાં મતદાન જાગૃતિને લગતા સ્ટેમ્પ મારી મતદાન કરવા સમજ આપી રહ્યા છે. ઈન્ડીયન મેડિકલ એસોસિએશન-રાજકોટના પ્રમુખ અને જાણીતા ન્યુરોસર્જન ડો. કાંત જોગાણીએ જણાવ્યું હતું કે, IMA દ્વારવા ગુજરાતના મતદારોમાં જાગૃતિના કાર્યક્રમ હાથ ઘરવામાં આવ્યો છે. 


કાલથી હવામાનમાં જોરદાર પલટો જોવા મળશે; આ વિસ્તારોમાં વરસાદ, આંધી-તોફાનનું એલર્ટ


લોકશાહીમાં દરેક મતદાન મતદાન કરી પોતાની ફરજ બજાવે એ જરૂરી છે એટલે ઈન્ડીયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ મતદાન જાગૃત્તિ ઝુંબેશ શરૂ કરી છે. રાજકોટ IMA દ્વારા ’મતદાન કરવું એ મૂળભૂત ફરજ અને અધિકાર છે' એવો મેસેજ આપતા ખાસ સ્ટેમ્પ બનાવવામાં આવ્યા છે અને દરેક તબીબો પોતાના દર્દીને પ્રિસ્કીપ્શન આપે એમા આ સ્ટેમ્પ મારીને મતદાન માટે સમજાવે છે. 


Angarak Yog 2024: મીન રાશિમાં બન્યો અંગારક યોગ, 1 જૂન સુધી આ રાશિઓ પર રહેશે સંકટ


રાજકોટના 1500 જેટલા તબીબીને સ્ટેમ્પ તૈયાર કરી આપવામાં આવ્યા છે. ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. તો બીજી તરફ દર્દીઓ પણ તબીબોના આ જાગૃતિ અભિયાનને આવકારી રહ્યા છે અને મતદાન કરવા મતદારોને અપીલ કરશે તેવું જણાવી રહ્યા છે.