મહેસાણાઃ અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત બાદ ક્ષત્રિય ઠાકોર સેનામાં હવે બે ફાટા પડી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે, અલ્પેશે ભાજપના ઈશારે સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. તેણે પોતાના અંગત સ્વાર્થ માટે આ નિર્મય લીધો છે. અલ્પેશે સમાજનો વિશ્વાસઘાત કર્યો છે અને સમાજ તેને કદી માફ નહીં કરે. અલ્પેશ ઠાકોરને મામલે હવે ઠાકોર સેનામાં બે ફાડ પડી જતાં મતોનું ધ્રુવીકરણ થાય એવા એંધાણ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ફટકો પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ પ્રથમ ઇન્ટરવ્યૂ, જુઓ વીડિયો


રામજી ઠાકોરે અલ્પેશ પર પ્રહાર કરતા વધુમાં જણાવ્યું કે, "અલ્પેશે સાત વર્ષમાં ઠાકોર સમાજને કશું આપ્યું નથી. અલ્પેશ ઠાકોરે મને અને અન્ય બે ધારાસભ્યોને ચૂંટણી હરાવી હતી. તે ગેરમાર્ગે દોરીને સમાજ સાથે ગદ્દારી કરી રહ્યો છે. રામજી ઠાકોરે કહ્યું કે, "ઠાકોર સેના કોગ્રેસ સાથે છે અને રહેશે. અલ્પેશ ઠાકોર ભાજપની વિચારસરણીમાં દોરવાઈ ગયા છે. જો સમાજ કહેશે અને સમાજની વાત આવશે તો સુપ્રીમો અલ્પેશ ઠાકોર બદલાઈ શકે છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવા એંધાણ છે."


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....


અલ્પેશના રાજીનામા મુદ્દે ભરતજી ઠાકોરનું નિવેદન
બીજી બાજુ, બહુચરાજીના ધારાસભ્ય એવા ભરતજી ઠાકોરે અલ્પેશના કોંગ્રેસમાંથી રાજીનામા અંગે તેનું સમર્થન કરતું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ દ્વારા ઠાકોર સેનાની અવગણના થઈ રહી છે. તે જોતા કોંગ્રેસને માર પડશે. હું કોંગ્રેસમાં છું અને રહીશ. મેં કોગ્રેસમાંથી રાજીનામુ આપ્યું નથી અને આપવાનો પણ નથી. ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશ ઠાકોર બદલાશે નહિ. જો ઠાકોર સમાજ ની અવગણના થશે તો આગમી લોકસાભામાં કોંગ્રેસને માઠી અસર વર્તાશે.


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...