અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે તંત્ર દ્વારા 16 પ્લોટ (Plot) નું વેચાણ કરી આવક મેળવવામાં આવશે. જે કરોડોની આવક (Income) થશે તેનો વિકાસ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે. 16 પ્લોટ પૈકી એક પ્લોટનું વેચાણ થઈ ચૂક્યું છે ત્યારે હવે બાકીના 15 પ્લોટનું વેચાણ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આમ તંત્રએ યુ ટર્ન માર્યો છે. તંત્રનું કહેવું છે કે શહેરનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે તે જોતા આગામી દિવસોમાં વધુ પ્લોટની જરૂર પડે તેમ હોવાથી હરાજી નહીં કરવામાં આવે. અહીં મહત્વનું છે કે 16 પ્લોટ પૈકીનો એક પ્લોટ (Plot) વેચાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા બોડકદેવ (Bodakdev) ના ટીપી સ્કીમ 50ના પ્લોટની ઓન લાઇન હરાજી કરવામાં આવી હતી અને તેને કારણે કોર્પોરેશનનએકસો એકાવન કરોડ છોતેર લાખ અઠ્ઠાણુ હજારની આવક થઇ હતી. કોર્પોરેશન દ્વારા આ પ્લોટની એપસ્ટ વેલ્યુ  1,88,000 પ્રતી ચોરસ મીટર રાખવામા આવી હતી. જેમા તંત્રને પ્રતી ચોરસ મીટર 1,88, 300 ભાવ મળ્યો છે. આમ નક્કી કરેલ કરતા વધુ ભાવ મળતા તંત્રને નક્કી કરેલ રકમ કરતા ચોવીસ લાખથી વધુની રકમ વધુ મળી છે.

Cabinet meeting: રાજ્ય સરકારની 5 વર્ષની ઉજવણીને લઇને પ્રદીપસિંહ જાડેજાએ કહી આ વાત

મહાનગરપાલિકા દ્વારા જે પ્લોટ હરાજી માટે મૂક્યા હતા તેની પર નજર કરીએ તો.....


એરિયા ચોમીમાં હેતુ તંત્ર દ્વારા નક્કી કરેલ તળિયાનો ભાવ પ્રતિ ચોમી
થલતેજ 1098 સેલ ફોર રેસિડેન્સ 14000
થલતેજ 9822 સેલ ફોર રેસિડેન્સ 177800
થલતેજ 2293 સેલ ફોર રેસિડેન્સ 121000
બોડકદેવ 12833 સેલ ફોર રેસીડેન્સ 188000
બોડકદેવ 7577 સેલ ફોર કોમર્શીયલ 228000
બોડકદેવ 8060 સેલ ફોર કોમર્શીયલ 188000
બોડકદેવ 3469 સેલ ફોર કોમર્શીયલ 188000
નિકોલ 3337 સેલફોર રેસીડેન્સ 70000
નિકોલ 4435 સેલફોર રેસીડેન્સ 70000
વસ્ત્રાલ 3141 સેલફોર રેસીડેન્સ 72000
વસ્ત્રાલ 3153 સેલફોર રેસીડેન્સ 72000
વસ્ત્રાલ 9778 સેલફોર રેસીડેન્સ 62000
નરોડા-હેસપુરા-કઠવાડા 7104 સેલ ફોર રેસીડેન્સ 62000
નરોડા-હેસપુરા- કઠવાડા 2865 સેલ ફોર રેસીડેન્સ 62000
નરોડા-હંસપુરા- -કઠવાડા 9403 સેલ ફોર રેસીડેન્સ 6200

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube