Gujarat Rain આણંદ : કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં 9 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા મહીસાગર નદી ગાંડીતુર બની છે અને આણંદ જિલ્લાના વાસદમાં નદી કાંઠા વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. વાસદથી કાચલાપુરા જવાના માર્ગ પર દસ ફૂટ જેટલા પાણી ભરાતા કાચલા પુરા અને વાસદ વચ્ચે સંપર્ક ખોરવાયો છે. આણંદના વાસદનો નદીકાંઠા વિસ્તાર જળબંબાકાર બન્યો. વાસદથી કાચલાપુરા જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો..રસ્તા પર 10 ફૂટ જેટલું પાણી ભરાતાં સંપર્ક ખોરવાયો..અનેક મકાનોમાં પહેલા માળ સુધી નદીના પાણી ફરી વળ્યા...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોરસદના ગાજણા ગામમાં મહીસાગર નદીમાં 13 લોકો ફસાયા છે. રાતના સુમારે એકાએક પાણી વધતા નીકળી નહી શક્તા ફસાયા છે. નદીના ભાઠામાં રહેતા લોકો જીવ બચાવવા ઝાડ પર ચઢી ગયા હતા. ગઈકાલ રાતથી 13 જેટલા લોકો હજી પણ ઝાડ ઉપર બેઠેલા છે. ઝાડ પર ફસાયેલા એક વ્યક્તિએ વીડિયો બનાવીને મદદ માંગી છે. ફસાયેલા 13 વ્યક્તિને બચાવવા એરફોર્સની મદદ લેવાઈ હતી. પંરતું ગાંધીનગરથી મળેલા અપડેટ અનુસાર, આણંદના બોરસદના એક ગામમાં 13 લોકો ફસાયેલા છે તેમનું રેસ્ક્યુ થઈ શક્યું નથી. એરફોર્સનું હેલિકોપ્ટર ગયું હતું પણ ભારે વરસાદને કારણે પાછું ફર્યું છે. 


આજે 18 સપ્ટેમ્બરે હવામાન વિભાગની આગાહી : 3 જિલ્લામા રેડ એલર્ટ, આ જિલ્લાઓ પર મોટી ઘાત


 


ગુજરાતમાં વરસાદના લેટેસ્ટ અહેવાલ : 7 જિલ્લાની શાળામા રજા, સવારથી 91 તાલુકામા મેઘમહેર