ઝી બ્યુરો/કચ્છ: આદિપુરમાં બેવાળી વિસ્તારમાં પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી ભોગ બનનારના પિતા દ્વારા કરવામાં આવેલી નાણા ઉઘરાણી અને આડાસંબધોને કારણે હત્યા નિપજાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM પછી કયા મંત્રાલય પાસે હોય છે સૌથી વધુ પાવર? કોણ છે દેશના બીજા સૌથી પાવરફૂલ મંત્રી


આ અંગે ભોગ બનનાર ભાવનાબેન વાણીયાના પિતા વેલજીભાઈ કાયાભાઈ વાણીયાએ આદીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતે પૈસા માંગતા હતા એટલે ગઈ કાલે પૈસાની ઉઘરાણી કરવા ગયા હતા અને તેથી મનદુઃખ રાખી અને આડા સંબંધ બાબતે શંકા વહેમ રાખી પોતાની દીકરી ભાવનાની તેના પતિ હરેશ દાનાભાઈ મહેશ્વરીએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. 


1 રૂપિયાવાળો અંબાણી શેર 28 રૂપિયે પહોંચ્યો, 1 લાખ રોક્યા હોત તો થઇ જાત 24 લાખ


આ અંગે આદીપુર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ વેલજીભાઈ કાયાભાઈ વાણીયાએ ફરિયાદ નોંધાવી છે કે પોતાની દીકરી ભાવનાએ આરોપી હરેશ મહેશ્વરી સાથે પ્રેમ લગ્ન કર્યા હોય આરોપી કોઈ કામ ધંધો ન કરતો હોય પોતાની દીકરીનું ઘર સંસાર સારી રીતે ચાલે તે માટે તેને રીક્ષા અપાવી હતી. 


સરકારે પહેલી કેબિનેટમાં DA વધારવાની કરી જાહેરાત, આ સરકારી કર્મચારીને બલ્લે-બલ્લે


જેના ભાડા પેટે 90,000 લેવાના નીકળતા હોય તેની પાસે રૂપિયાની માંગણી કરી હતી. જે બાબતનું આરોપીએ મનદુઃખ રાખી તેમજ આડા સંબંધ બાબતે વહેમ રાખી તેમની દીકરી ભાવનાને શરીરના જુદા જુદા ભાગે ફરીને આડેધડ ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 


24 કલાક બાદ આ 3 રાશિવાળાના જીવનમાં મોટો ફેરફાર આવશે, 25 દિવસ સુધી જલસા કરશો


આ બનાવ અંગે વધુ મળતી વિગતો મુજબ આદિપુરના રામદેવપીરની મંદિરની બાજુમાં બનેલી આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. આ અંગે અંજારના ડીવાયએસપી મુકેશ ચૌધરીએ આદિપુરમા પરણિતાની પતિએજ છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું જણાવી આરોપીને રાઉન્ડ અપ કરી લોધો છે તેમ જણાવ્યું હતું.