junagadh news : ગુજરાતના જૂનાગઢમાં કથિત રીતે હેટ સ્પીચ આપવાના મામલામાં મૌલાનાની મુશ્કેલીમાં વધારો થયો છે. કેમ કે રવિવારે મુંબઈના ઈસ્લામિક ઉપદેશકાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરી લેવામાં આવી. હવે તેને લઈને ગુજરાત ATS અને જૂનાગઢ પોલીસની ટીમ મુંબઈથી લઈ અમદાવાદ પહોંચી છે. મુફ્તી સલમાન અઝહરીને એટીએસ હેડ ક્વાર્ટર ખાતે લઈ આવ્યા છે.  મૌલાનાને અમદાવાદથી જૂનાગઢ લઈ જવામાં આવશે. ત્યારબાદ જૂનાગઢ પોલીસ મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31 જાન્યુઆરીએ જૂનાગઢમાં ફરિયાદ નોંધાઈ હતી
ઉશ્કેરણીજનક ભાષણ આપનાર મૌલાનાની મુંબઈથી અટકાયત કરવામાં આવી છે. મૌલાના સલમાન અઝહરીની ગુજરાત એટીએસે અટકાયત કરી છે. 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં ફરિયાદ નોંધાવી હતી. મૌલાના અઝહરી, મહંમદ યુસુફની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી મૌલાના અઝહરીની ધરપકડ કરીને તેને મુંબઈની ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના સમર્થકોએ પોલીસ સ્ટેશનની બહાર ઘેરાવ કર્યો હતો. જેના પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મૌલાનાના વકીલે કહ્યું હતું કે મુફતી સલમાન તપાસમાં સહયોગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 


હાર્ટ એટેકથી દક્ષિણ ગુજરાતમાં મોતનું તાંડવ : સુરતમાં 3 યુવકો ચાલુ કામમાં ઢળી પડ્યા



મૌલાનાએ આપ્યુ હતું ભડકાઉ ભાષણ
મહત્વનું છે કે મૌલાના સલમાન અઝહરીએ 31 જાન્યુઆરીએ જૂનાગઢના એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના પછી પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે તાત્કાલિક મુફ્તી સલમાન અઝહરી, કાર્યક્રમોના આયોજકો મોહમ્મદ યૂસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા સામે IPCની કલમ 153-બી અને 502 (2) અંતર્ગત FIR નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે બે સ્થાનિક આયોજકોની પહેલાં જ ધરપકડ કરી હતી.  બંનેએ એમ કહીને કાર્યક્રમની અનુમતિ માગી હતી કે અઝહરીનું સંબોધન ધર્મ અને નશામુક્તિ વિશે જાગૃતિ ફેલાવવા માટે હશે. પરંતુ વાયરલ વીડિયોમાં મૌલાના સલમાન અઝહરી તો ભડકાઉ ભાષણ આપી રહ્યા છે. 



કોણ છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી? 


  • પોતાને ગણાવે છે ઈસ્લામી રિસર્ચ સ્કોલર..

  • કાહિરાની અલ અઝહર યુનિવર્સિટીમાંથી અભ્યાસ...

  • જામિયા રિયાઝુલ જન્નાહના સંસ્થાપક..

  • અલ-અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના સંસ્થાપક...

  • દારૂલ અમાન સંસ્થાનના સંસ્થાપક...

  • અનેક સામાજિક-ધાર્મિક પ્રવૃતિઓમાં રહે છે સક્રિય...

  • મુસ્લિમ લોકો તેમને કરે છે પસંદ...

  • મુસ્લિમ યુવાઓમાં તેમની ફેન ફોલોઈંગ વધારે....

  • ભડકાઉ ભાષણના કારણે રહે છે ચર્ચામાં....

  • ઈસ્લામી વિદ્યાર્થીઓને અનેકવાર આપી ચૂક્યા છે ઉપદેશ....    


મૌલાના મુફ્તી અઝહરીના ભડકાઉ ભાષણથી સાધુ સંતો રોષે ભરાયા છે. હિંદુ કે સનાતન વિરોધ નિવેદન આપનાર સામે કડક પગલાં લેવા માટે સંતો ગાઈડલાઈન તૈયાર કરશે. પોલીસની મૌલાના સામેની કાર્યવાહીને સંતોએ યોગ્ય ગણાવી છે. 


અટલ બ્રિજથી અમદાવાદ કોર્પોરેશનને મોટી આવક થઈ, છલકાઈ AMC ની તિજોરી