ગીર સોમનાથઃ ગુજરાતમાં જ્યારે પણ કોઈ ચૂંટણી આવે ત્યારે એક વ્યક્તિ જરૂર ચર્ચામાં આવતા હોય છે. જી, હાં, આપણે વાત કરી રહ્યાં છીએ ગીરના જંગલમાં આવેલા બાણેશ્વર મંદિરના મહંતની. તેણો આ વિસ્તારના એકમાત્ર મતદાતા હતા. તેમના માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા કરતું હતું. આ બુથ પર દર વખતે 100 ટકા મતદાન થતું હતું. આ મહંત ચૂંટણીમાં મતદાન કરવા માટે પણ લોકોને પ્રેરિત કરતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાણેજ ગીરના મહંત ભરતદાસજી બાપુનું આજે નિધન થયું છે. તેમની ઉંમર 68 વર્ષની હતી. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. ભરતદાસજી બાપુને કિડનીની બિમારી હતી અને તેઓ છેલ્લા એક મહિનાથી રાજકોટમાં સારવાર લઈ રહ્યાં હતા. તેઓ પોતાના એક મતમાટે દેશભરમાં જાણીતા બન્યા હતા. આવતીકાલે ભરતદાસજી બાપુના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 


પ્રાપ્ત વિગત અનુસાર  ભરતદાસજી બાપુએ આજે બપોરે 3 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે પણ રાજ્યમાં ચૂંટણી આવે ત્યારે તેઓ ચર્ચામાં આવતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની મનકી બાત કાર્યક્રમમાં ભરતદાસ બાપુના નામનો ઉલ્લેખ કર્યો હતો. ભરતદાસ બાપુ કહેતા હતા કે મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. તેઓ મતદાનને લઈને હંમેશા લોકોને પ્રેરણા આપતા હતા. 


જુઓ LIVE TV