Gujarat Rains: ભાવનગર જીલ્લાની જીવાદોરી સમાન શેત્રુજી ડેમ કે જેની કુલ જળસંગ્રહની ક્ષમતા ૩૪૬.૬૮ મીલિયન ઘ.મી છે. આવી વિશાળ ક્ષમતા ધરાવતો આ શેત્રુજી ડેમ ભાવનગર જીલ્લા માટે આશીર્વાદ સમાન છે, આ ડેમમાંથી ભાવનગર શહેર તેમજ પાલીતાણા અને ગારિયાધારને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તેમજ જીલ્લાના પાલીતાણા, ગારીયાધાર તળાજા, મહુવા તાલુકાના ગામડાઓને પણ સિંચાઇનું પાણી પૂરું પાડવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇસ્કોન બ્રિજ: નબીરાના પિતા પ્રજ્ઞેશ પટેલને જેલમાં ધકેલ્યો, તથ્યના 3 દિવસના રિમાન્ડ


આ ડેમ ગત રાત્રીના ઉપરવાસ તેમજ ભાવનગર જિલ્લામાં પડેલા સારા વરસાદને પગલે છલક સપાટીએ પહોંચતા ડેમના દરવાજા ઉપરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે, હાલ 8117 ક્યુસેક પાણીની આવક શરૂ હોય આ ડેમ હેઠળ આવતા પાલીતાણા તાલુકાના 5 અને તળાજા તાલુકા ના 12 ગામો મળી કુલ 17 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 


આગામી 48 કલાક અતિભારે! સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર; આ વિસ્તારોમાં આભ ફાટ્યું!


જ્યારે શેત્રુંજી ડેમ છલકાઇ જવાના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. શેત્રુંજી ડેમમાંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલ મારફતે પાલીતાણા, તળાજા, મહુવા ઘોઘા તાલુકાના ગામડાઓમાં પિયત માટે પાણી આપવામાં આવે છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતો ખેતીમાં મબલખ આવક મેળવી શકતા હોય છે. 


Pension અને Salary માં થયો વધારો, 31 જુલાઇએ મળશે વધુ પૈસા, સરકારે કરી જાહેરાત


શેત્રુંજી ડેમ ભરાઈ જવાના કારણે સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લોકો પણ શેત્રુંજી ડેમનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે.


'દેશની રક્ષા માટે કારગીલમાં લડ્યો, પણ પત્નીને માટે લડી ન શક્યો', દર્દભર્યા શબ્દો