રાજેન્દ્ર ઠક્કર, ભુજ: કોરોનાએ સમગ્ર ગુજરાતમાં આતંક મચાવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમોનું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. એવામાં ભુજના મામલતદારનું વિચત્ર ફરમાન સામે આવ્યું છે. માઇકમાં નીકળતા અવાજની સાથે કોરોના વિષાણુ ફેલાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રિવાબા સાથે ઘર્ષણ બાદ મહિલા હેડ કોન્સ્ટેબલની તબિયત લથડી, સારવાર માટે ખસેડાયા


ભુજના દિૃધામેશ્વર મહાદેવ મંદિર દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગની મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. શ્રાવણ મહિનામાં પૂજા-અર્ચના માટે ભુજ તંત્ર પાસેથી લાઉડ સ્પીકરના ઉપયોગની મંજૂરી માંગવામાં આવી હતી. ત્યારે આ મામલે ભુજના મામલતદારે વિચિત્ર કારણ આપીને પરવાનગી આપી ન હતી. આ મામલે મામલતદારે જણાવ્યું હતું કે, લાઉડ સ્પીકરમાંથી વિષાણુ નીકળે છે અને તેના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે છે. આ માટે તેનો ઉપયોગ કરવાની છૂટ આપી શકાય નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર