Gujarat Politics બનાસકાંઠા : દેશના કેટલાક રાજ્યોમાં હાલ ચૂંટણીનો માહોલ છે. પરંતું ગુજરાતની એક પેટાચૂંટણી ભાજપ કોંગ્રેસ બંને પક્ષો માટે ભારે બની રહી છે. કારણ કે, પહેલીવાર એવું જોવા મળ્યું કે બંને પક્ષે ઉમેદવારી ભરવાની છેલ્લાં દિવસ સુધી કોઈ ઉમેદવાર જાહેર નથી કર્યાં. બંને પક્ષો છેલ્લી ઘડીએ મેન્ટેડ આપે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સાથે જ ભાજપ કોંગ્રેસ ફોર્મ ભરવા માટે પણ રણનીતિ ઘડી હોય તેવું પહેલીવાર જોવા મળ્યું છે. આ વચ્ચે એક મોટા અપડેટ સામે આવ્યા છે. સૂત્રોના અનુસાર, ભાજપ ઠાકોર ઉમેદવારને ટિકિટ આપી શકે છે તેવું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસે છેલ્લી ઘડીએ ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર તરીકે જાહેરાત કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુલાબસિંહને લાગી લોટરી 
વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જોકે, ગુલાબસિંહનું નામ આ માટે પહેલાથી જ ચર્ચામાં હતું. સાથે જ ઉમેદવારીના રેસમાં તેઓ સૌથી આગળ હતા. આખરે હાઈકમાન્ડે આ નામ પર મહોર મારી દીધી છે. આમ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ગેનીબેન ઠાકોર સાથેની મિત્રતા ફળી હોય એમ લાગી રહ્યું છે. 
 



ભાજપ ઠાકોર ઉમેદવારને આપશે ટિકિટ: સૂત્ર
વાવ બેઠક પર ગેનીબેન ઠાકોરનો દબદબો છે. તેથી ગેનીબેનની આ ખાલી પડેલી બેઠક પર ભાજપ ઠાકોર ઉમેદવારનું કાર્ડ રમી શકે છે. ત્યારે ચર્ચા છે કે, પિરાજી ઠાકોર અથવા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ મળી શકે છે. પીરાજી ઠાકોર બનાસ બેંકમાં ડાયરેક્ટર છે, તો સ્વરૂપજી ઠાકોર ગત વિધાનસભાની ચૂંટણી વાવથી લડ્યા હતા. ત્યારે જાતીય સમીકરણને ધ્યાને લઈ ઠાકોર ઉમેદવારને ટિકિટ આપી શકે છે. વાવ બેઠક પર સૌથી વધુ ઠાકોર મતદારો છે.


હરણી બોટકાંડના 10 મહિના બાદ ગુજરાત સરકારે બનાવ્યા નવા નિયમ, બોટિંગ માટે આટલું જરૂરી 


કોંગ્રેસનું શક્તિપ્રદર્શન
વાવ પેટાચૂંટણીમાં ઉમેદવારી પહેલા કોંગ્રેસની જન આશીર્વાદ સભા યોજાવાની છેલ્લી ઘડીએ જાહેરાત થઈ છે. ઉમેદવારી પહેલા કોંગ્રેસનું સૂઇગામમાં શક્તિપ્રદર્શન થશે. જેમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને સાંસદ ગેનીબેન ઠાકોર સભામાં હાજર રહેશે. જન આશીર્વાદ સભાના બેનર પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહનો ફોટો મૂકાશે. જેમાં કોંગ્રેસના નેતાઓ સંબોધન કરશે. 


ભાજપ સીધું મેન્ડેટ આપશે 
ઉલ્લેખનીય છે કે, આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સુઇગામ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવા છતાં બંને પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરવામાં મોડું કર્યું. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતના નામ પર મહોર મારી છે. પરંતું હજુ સુધી ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. આજે સુઇગામમાં કોંગ્રેસ જાહેર સભા કર્યા બાદ વિજય મુર્હતમાં ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને ફોર્મ ભરાવશે. ભાજપ પણ પોતાના ઉમેદવારને સીધું મેન્ડેડ આપી દેશે. ભાજપ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કોઈ સભા નહિ કરે. ત્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સમગ્ર ગુજરાતમાં આવ્યો રાજકીય ગરમાવો આવ્યો છે. 


હરણી બોટકાંડના 10 મહિના બાદ ગુજરાત સરકારે બનાવ્યા નવા નિયમ, બોટિંગ માટે આટલું જરૂરી