ઝી બ્યુરો/દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લા LCB દ્વારા ગેરકાયદેસર રીતે સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક દવાની આડમાં ગેરકાયદેસર રીતે આલ્કોહોલ યુક્ત પીણાનું ઉત્પાદન અને વેચાણનો પર્દાફાશ કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, ઉત્તર ભારતના ઘણા વિસ્તારમાં આવ્યા આંચકા


દ્વારકા જિલ્લા LCB એ ગત 26 ના રોજ સેલ્ફ જનરરટેડ આલ્કોહોલ યુક્ત 'કાલ મેઘાસવ' નામની આશરે 4 હજાર નંગ બોટલનો જથ્થો ઝડપયો હતો. જેની તપાસમાં ખોટા GST નંબર હોવાનું, નશાબંધી અને આબકારી વિભાગનું S.A.2 પરવાના અયોગ્ય હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આલ્કોહોલ યુક્ત પીણુંમાં ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં અમદાવાદ સ્થિત ચંગોદર પાસે ફેકટરીમાં આ પીણું તૈયાર કરવામાં આવતું હોવાનું કબૂલ કર્યું હતું.


BIG BREAKING: ગુજરાતના 61 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મુકવામાં આવ્યા?


આરોપીની કબુલાત બાદ દ્વારકા જિલ્લા LCB એ અમદાવાદ ખાતે ફેકટરીમાંથી સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક કાલ મેઘાસવ નામની દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણું બનાવવાનું મશીન, પાણી, ઇથેનોલ કેમિકલ (આલ્કોહોલ), સિટ્રીક એસિડ, સ્વીટનર અને ફ્લેવર 12.16 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો. જેમાં 840 લીટર ઇથેનોલનો જથ્થો પણ પકડી પાડ્યો.


આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને ગુજરાત કોર્ટનો ફટકો,PM સાથે સંકળાયેલો છે કેસ


અમદાવાદ ખાતે રેડ દરમિયાન ત્રણ આરોપીઓની અટકાયત કરી અને અમદાવાદથી સૌરાષ્ટ્ર કચ્છ તેમજ અમદાવાદના વિસ્તારમાં આ આધુનિક મશીનથી બોટલીંગ કરી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતું હોવાનું પણ બહાર આવ્યું.