Gujarat Politics : ગુજરાતમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન એટલે લંગડા આંધળાની જુગલ જોડી કહીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આ બંને સીટો જીતવાનો દાવો કર્યો છે ત્યારે આપના પ્રદેશ અધ્યક્ષે પણ ભાજપ ડરી ગયું છે અને નાક કપાઈ ગયું હોવાના દાવાઓ કર્યા છે. ગુજરાતમાં ભાવનગર અને ભરૂચ સીટ એ હોટ સીટ બની ગઈ છે. આ બંને બેઠકો પર ભાજપનો 2 દાયકાથી દબદબો હોવાથી ભાજપ માટે આ નાકનો સવાલ છે. ભરૂચ લોકસભા બેઠક 1989થી ભાજપ પાસે છે. પાર્ટી છેલ્લા 35 વર્ષથી સતત આ સીટ જીતી રહી છે. આપના ચૈતર વસાવા તો ઓવર કોન્ફિડન્સમાં દાવાઓ કરી રહ્યાં છે. હવે સવાલ એ છે કે આપ કયા ગણિતોને આધારે આ સીટ જીતવાના દાવા કરી રહ્યાં છે. આ સીટની વાસ્તવિકતા એ છે કે લોકસભામાં આવતી 7 સીટમાંથી 6 સીટો ભાજપ પાસે છે. ભાજપે એક ડેડિયાપાડા સીટ ગુમાવી હતી. આ લોકસભાની બેઠક પર ચૈતર વસાવા પાસે માત્ર 13 ટકા મત છે.  અહેમદ પટેલે પણ આ સીટને જીતવા માટે મરણિયા પ્રયાસો કર્યા છે પણ આદીવાસી પ્રભુત્વ ધરાવતી આ બેઠક ભાજપના કબજામાં રહી છે. આપ માટે આ બેઠક જીતવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે. કોંગ્રેસનો સપોર્ટ મળવો આ બેઠક પર અઘરો છે. અહીં લઘુમતિ સમાજ અહેમદ પટેલના પરિવારને સપોર્ટ કરતો આવ્યો છે. કોંગ્રેસે આ પરિવારની અવગણના કરી છે.  મુમતાઝ પટેલે સ્પષ્ટ નારાજગી દર્શાવતું ટ્વીટ કરીને પોતાનો મેસેજ કોંગ્રેસ સુધી પહોંચાડી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસે પગ પર કુહાડી મારી
આપણે આ બેઠક પર આંકડાકિય સમીકરણો જોઈએ તો ઝઘડિયા બેઠક પર કોંગ્રેસને 15 હજાર તો આપને 19 હજાર મત મળ્યા હતા. ડેડિયાપાડામાં કોંગ્રેસને 12 હજાર તો આપને એક લાખ મત મળ્યા હતા. જે બેઠક પર ચૈતર વસાવા વિજેતા થયા હતા. આ સિવાય જંબુસર બેઠક પર કોંગ્રેસને 64 હજાર તો આપને 3,418 મત મળ્યા હતા. અંકલેશ્વરમાં પણ કોંગ્રેસને 55 હજાર મત તો આપને 5,356 મત મળ્યા હતા. વાગરામાં પણ કોંગ્રેસને 69,584 મત સામે આપને 1,924 મત મળ્યા હતા. ભરૂચમાં જયાં અહેમદ પટેલના પરિવારનો દબદબો છે ત્યાં કોંગ્રેસને 44 હજાર તો આપને 14 હજાર મત મળ્યા હતા.. કરજણ સીટ પર પણ કોંગ્રેસને 57,442 મત તો આપને 6,587 મત મળ્યા હતા. વિધાનસભાની 7માંથી 4 સીટ પર તો આપે ડિપોઝિટ ગુમાવી દીધી હતી. હવે આપનું જ્યાં સંગઠન નથી, બેઠકો પર 2થી 5 હજાર મત મળ્યા છે. એ બેઠકો પર ભાજપને હરાવવાનો દાવો કરી રહ્યાં છે. આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે આ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હોત તો સમીકરણો બદલાવાની સંભાવના હતી પણ ગઠબંધનમાં કોંગ્રેસે પોતાના પગ પર કૂહાડી મારી છે. અહીં અહેમદ પટેલના સંતાનો ફૈઝલ અને મુમતાઝ બંનેના ચૂંટમી લડવાના દાવાઓને પગલે કોંગ્રેસે આ સીટથી દૂર રહેવાનું મુનાસિબ માન્યું હોવાની ચર્ચા છે. 


પાટીલનો જીતનો હુંકાર : આંધળા-લંગડાનુ ગઠબંધન છે, બે ભેગા થઈને પણ ભાજપને નહિ હરાવી શકે


26 માંથી આ 4 બેઠકો ભાજપને પરસેવો પડાવી શકે છે, કાચું કપાયું તો બેઠક ગઈ સમજો