ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રોજેક્ટને અડચણરૂપ થતાં વૃક્ષોને કાપવામાં નહીં આવે, આ વૃક્ષોને રિલોકેટ કરવામાં આવશે. આશ્રમના ડેલા પુની વિસ્તારમાં હાલ પ્રથમ દિવસે 3 વિશાળ વૃક્ષોને રિલોકેટ કરાયા છે. વિશેષ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને વૃક્ષોની ખાસ માવજત કરાય છે. દરેક વૃક્ષના એક એકે મૂળિયાં જીવિત રહે તે મુજબ રિલોકેટની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એક ખતકનાક આગાહીથી થથરી જશો! બે માવઠા, 35 કિ.મીની ઝડપે પવન, આ વિસ્તારોનું આવી બનશે!


ઉલ્લેખનીય છે કે મૂળ આશ્રમ 5 એકર વિસ્તારમાં છે પણ નવા આયોજન મુજબ 55 એકરમાં ડેવલપમેન્ટ થશે. 55 એકર પરિસરમાં 3,500 વૃક્ષો હોવાનો સર્વે થયો છે.


અહો આશ્ચર્યમ! ગુજરાત કોંગ્રેસના પૂર્વ MLAએ માગ્યા ભાજપ માટે મત, આ નિવેદન સાંભળી...


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 12 માર્ચે અમદાવાદ આવશે. સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે. પ્રધાનમંત્રીના આગમન પહેલા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેવાયું છે. આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વાડજથી આશ્રમ થઇ RTO સર્કલ જતો માર્ગ કાયમી ધોરણે બંધ થશે. 


ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વનો નિર્ણય, બે સ્થળોએ વિશ્વભરના પ્રવાસીઓને મળશે આ સુવિધા


આંતરરાષ્ટ્રીય કક્ષાનું ટુરિસ્ટ સ્પોટ બનાવવાનું આયોજન
વિકલ્પ રૂપે તંત્ર દ્વારા આશ્રમ પહેલાં નવો માર્ગ બનાવાયો છે જે રાણીપ તરફ પૂર્ણ થશે. અત્યાર સુધી RTO બ્રીજથી આશ્રમ તરફ જતા લોકોને હવે રાણીપ થઇ નવા માર્ગનો ઉપયોગ કરવો પડશે. આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અહીં અનેક આકર્ષણો બનવાના છે. મહાત્મા ગાંધીજીને લગતી માહિતી અને એમના ઇતિહાસને દર્શાવતા જુદા જુદા પ્રકલ્પો બનાવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાનું ટુરિસ્ટ સ્પોટ બનાવવાનું અહીં આયોજન છે.


રિવરફ્રન્ટ પર હવે લાગી જશે ચાર ચાંદ: અમદાવાદમાં મળશે લંડન જેવી મજા, ઈમેજિકા આવશે


રોડને બંધ કરવાનો નિર્ણય એએમસી દ્વારા લેવામાં આવ્યો
જાણવા મળી રહ્યું છે કે, ગાંધી આશ્રમથી પસાર થતાં રોડને બંધ કરવાનો નિર્ણય એએમસી દ્વારા લેવામાં આવ્યો છે, કારણ કે સાબરમતી ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધી આશ્રમ અને તેની આસપાસના વિસ્તારને ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યો છે. જે તમામ પર પ્રક્રિયા પૂર્ણ કરી કાર્ગો મોટર્સથી કલેક્ટર કચેરી સુધીના 200 મીટરના રોડને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


30 લાખમાં મળશે 2.5 BHK, અમદાવાદના હાઈફાઈ વિસ્તારમાં ગગનચુંબી ઈમારતનો સરકારનો પ્લાન


વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ
આ રોડ બંધ થતા વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ તરીકે કાર્ગો મોટર્સથી રાણીપ એસટી બસ સ્ટેન્ડ તરફ અંદાજિત 1 કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો છે. રોડની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ગાંધી આશ્રમથી કલેકટર કચેરી સુધીનો રોડ બંધ કરાશે. તેથી પાલડી, વાસણા, સરખેજ, નવરંગપુરા, એલિસબ્રિજ, વાડજ તેમજ પૂર્વના કેટલાક વિસ્તારોમાંથી કલેક્ટર કચેરીએ બસમાં આવનારા લોકોને હવે 50 મીટર જેટલું ચાલીને આવવું પડશે. 


રિવરફ્રન્ટ પર હવે લાગી જશે ચાર ચાંદ: અમદાવાદમાં મળશે લંડન જેવી મજા, ઈમેજિકા આવશે


ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે
રોજના એક લાખ જેટલા વાહનો ત્યાંથી પસાર થશે. વૈકલ્પિક માર્ગ તરીકે રાણીપ એસટી બસ સ્ટેન્ડ પાસે રોડ ખોલવામાં આવ્યો છે. જોકે આ રોડ ઉપર સવારે અને સાંજના સમયે બંને ભયંકર ટ્રાફિકજામ થાય તેવી પરિસ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે. એક તરફ એસટી બસ સ્ટેન્ડમાંથી બહાર આવતી બસો અને ત્રણ બાજુથી રોડ પરથી વાહનો આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે તેમ લાગી રહ્યું છે.


'તમે ગઢવી બહુ ફાટ્યા છો,' આ વેણ બોલવું ભારે પડ્યું! કુખ્યાત આરોપીએ ખેલ્યો ખૂની ખેલ