Chhota Udepur News : છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લામાં સામે આવેલાં નકલી સરકારી કચેરી કાંડનો રેલો હવે નિવૃત્ત IAS અધિકારી સુધી પહોંચ્યો છે. બી.ડી. નીનામા નામનો આ નિવૃત્ત IAS જ્યારે પ્રાયોજના અધિકારી હતો, ત્યારે તેણે ગઠિયાઓ સાથે મળીને આદિવાસીઓને લૂંટ્યા હતા. અધિકારી અને ગઠિયાઓની સાથે કેવી રીતે આ સમગ્ર કૌભાંડ ચાલતું હતું, જોઈએ આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસના જાપ્તામાં વાદળી રંગના શર્ટમાં તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો, તે થોડા સમય પહેલાં રાજ્યમાં IAS અધિકારી તરીકેનો મોભો ભોગવતો હતો, જો કે હવે તે આરોપી છે. તેનું નામ છે બી. ડી નીનામા. 


છોટાઉદેપુર અને દાહોદમાં એક ડઝનથી વધારે નકલી સરકારી કચેરીઓ ખોલીને સરકારને 22 કરોડ રૂપિયાથી વધુનો ચૂનો લગાવવાના કૌભાંડમાં આ નિવૃત્ત IASની પણ સંડોવણી સામે આવી છે. જેને જોતાં દાહોદ પોલીસે ગાંધીનગરથી તેની ધરપકડ કરી હતી. 


અમદાવાદના રસ્તા પર હિટ એન્ડ રન : માતેલા સાંઢની જેમ આવેલા આઈસરે બે લોકોના જીવ લીધા


નીનામા જ્યારે દાહોદમાં પ્રાયોજના અધિકારી હતો ત્યારે તેણે અન્ય આરોપીઓ સાથે મળીને નકલી સરકારી કચેરીઓ ખોલવામાં ભૂમિકા ભજવી હતી. ગઠિયાઓ સાથે મળીને તે ગરીબ આદિવાસીઓના પૈસા ખાઈ ગયો.
 
નકલી કચેરીનું કૌભાંડ જ્યારે સામે આવ્યું, ત્યારે કહેવાતું હતું કે સરકારી તંત્રની સંડોવણી વિના આ પ્રકારનું સુવ્યવસ્થિત રીતે ચાલતું કૌભાંડ શક્ય નથી. નીનામાની ધરપકડ બાદ આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે.


તેની પહેલાં આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમના નામ સંદીપ રાજપૂત, અબુ બકર અને અંકિત સુથાર છે. 


અમદાવાદના રસ્તા પર હિટ એન્ડ રન : માતેલા સાંઢની જેમ આવેલા આઈસરે બે લોકોના જીવ લીધા


મુખ્ય આરોપી સંદીપ રાજપૂત નકલી કચેરી ખોલીને છોટા ઉદેપુરના આદિવાસીઓ માટેની સરકારી ગ્રાન્ટ પચાવી પાડતો હતો. છોટા ઉદેપુરમાં જ તેણે નકલી સરકારી કચેરી ઊભી કરીને 93 કામોની દરખાસ્ત મોકલીને 4 કરોડ 15 લાખ રૂપિયા સરકારી તિજોરીમાંથી સેરવી લીધા. 


આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે નકલી કચેરી કાંડ ફક્ત છોટાઉદેપુર નહીં પણ દાહોદ સુધી ફેલાયેલું હતું. સંદીપ રાજપૂતે દાહોદમાં 6 નકલી કચેરી ઉભી કરીને 18 કરોડ 59 લાખની ગ્રાન્ટ સેરવી લીધી હતી.  


જો કે હદ તો ત્યારે થાય છે, જ્યારે એક IAS અધિકારી અને આદિવાસી સમુદાયમાંથી આવતી વ્યક્તિ જ આદિવાસીઓ માટેનું ફંડ ખાઈ જાય છે. ગઠિયાઓ સાથે મળીને તેણે સરકારી તિજોરીને તો નુકસાન કર્યું જ છે, પણ આદિવાસીઓ સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે.  


સરકારી ગ્રાન્ટમાંથી નિનામાએ કેટલા રૂપિયા સેરવ્યા છે, એ તો તપાસ બાદ જ સામે આવશે. જો કે આ કૌભાંડમાં હજુ વધુ અધિકારીઓની સંડોવણી બહાર આવે તો નવાઈ નહીં...


પૃથ્વી પર પ્રલય આવવાની તૈયારી : તમારા ઘરની લાઈટો પણ ઉડી જશે, બ્રહ્માંડમાં હલચલ થશે