હિતલ પારેખ, ગાંધીનગર: હજારો વિદ્યાર્થીઓ કે જેઓ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (BinSachivalay Clerk Exam) માં થયેલી ગેરરીતિ સામે ન્યાય માંગવા માટે ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા હતા. પરંતુ ગુજરાતની આ ભાવિ પેઢી સાથે જે વર્તન થયું તે શરમજનક રહ્યું. પોલીસે વિદ્યાર્થીઓને દંડાગીરી કરી હતી. તો સાથે જ પકડી પકડીને તેઓને પોલીસની બસમાં બેસાડીને તેમની અટકાયત કરી હતી. તો બીજી તરફ, રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આ મામલે આક્રોશ (#saveGujratstudents) દેખાઈ રહ્યો છે. સુરેન્દ્રનગર અને સુરતમાં પણ વિરોધ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ આ પરીક્ષાને રદ કરવાની માગણી પર મક્કમ જોવા મળી રહ્યાં છે જ્યારે બીજી બાજુ સરકાર આ પરીક્ષા રદ કરવા તૈયાર નથી. જેને લઈને વિદ્યાર્થીઓ ખુબ ઉગ્ર જોવા મળી રહ્યાં છે. જો કે વિદ્યાર્થીઓના આક્રોશને જોતા સરકાર પણ ભીંસમાં આવી હોય તેવું જણાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નિવાસસ્થાને તાકીદે બેઠક બોલાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bin Sachivalay Clerk Exam: બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા રદ કરવા ઉગ્ર આંદોલન: પરીક્ષા રદ્દ નહી તો સરકાર પણ નહી!!


CM રૂપાણીએ બોલાવી બેઠક
કેબિનેટના સીનિયર મંત્રીઓને આ બેઠકમાં બોલાવવામાં આવ્યાં છે. બિન સચિવાલયના ઉમેદવારોએ જે પ્રકારે ગાંધીનગરમાં ઘરના ધર્યા તેનું નિરાકરણ કેવી રીતે લાવવું તેની પર ચર્ચા થઈ શકે છે. મોડી રાત સુધીમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઇ શકાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. બિન સચિવાલય પરીક્ષા ના ઉમેદવારોએ જે પ્રકારે એકતા બતાવી તેનાથી સરકાર ડગમગી હોય તેવું લાગે છે. સરકાર આ અંગે કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. 


આ VIDEO પણ જુઓ...


Bin Sachivalay Exam: ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળી ગુજરાત સરકાર, જુઓ શું કહ્યું...


વિદ્યાર્થીઓએ પોસ્ટર પર દર્શાવ્યો વિરોધ
સરકાર અમને ન્યાય આપોના નારા સાથે હજ્જારો વિદ્યાર્થીઓ ગાંધીનગર ઉમટી પડ્યા હતા. ત્યારે તેમના પોસ્ટર પર લખેલા લખાણમાં પણ સરકાર સામેનો વિરોધ સ્પષ્ટ દેખાયો હતો. હમારી ભૂલ કમલ કા ભૂલ, શું આ બધુ કરવા આઝાદી આપી હતી? મહાત્મા ગાંધી, સંવેદનહીન સરકાર જેવા લખાણો સાથે વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતા. 


#saveGujratstudents: ટ્વિટર પર ટ્રેન્ડ થયો મુદ્દો, રૂપાણી સરકાર પર માછલા ધોવાયા


ગાંધીનગરમાં પડ્યા પડધા
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. પરંતુ કેબિનેટ બેઠકમાં પણ બિનસચિવાલય પરીક્ષાના ઉમેદવારોના વિરોધ પ્રદર્શનનો પડઘો પડ્યો હતો. સવારે 10 વાગ્યે શરૂ થયેલી કેબિનેટ બેઠક બપોરે 1 વાગ્યા સુધી પણ ચાલુ હતી. બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિના મામલા પર શું કરવું તેની પણ ચર્ચા થઇ હોવાનું સૂત્રો તરફથી માહિતી મળી હતી. 


જુઓ પ્રદિપસિંહ જાડેજાએ શું કહ્યું...


બિનસચિવાલય પરીક્ષા અંગે રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશ, એક જ માંગ, ‘પરીક્ષા રદ કરો...’


ગાંધીનગરમાં ઉઠેલા બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) ના મુદ્દે આક્રોશ બાદ ગુજરાત સરકાર પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતરી હતી. વિદ્યાર્થીઓ તથા સોશિયલ મીડિયા પર ઘેરાયેલી રૂપાણી સરકાર (Vijay Rupani) નો ભારે વિરોધ થયો હતો. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ પાણી વહી ગયા બાદ પાળ બાંધતા હોય તેમ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કેવા એક્શન લેવાયા છે તેની માહિતી આપી હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, પેપર એક પણ સ્થળ પરથી લિક થયું નથી. જે 39 ફરિયાદો મળી છે, તેના સંદર્ભમાં સંબંધિત લોકોને આવતીકાલથી મંડળમાં બોલાવીને જવાબ લેવાની કાર્યવાહી શરૂ કરાશે. જે ઉમેદવારોએ પરીક્ષામાં ચોરી કરી છે તેમની સામે એક્શન લેવામાં આવશે. તેમજ સંડોવાયેલા જવાબદાર અધિકારીઓના જવાબ લેવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં કોઈને પણ છોડવામાં નહિ આવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube