વિશાળકાય વાવાઝોડું બિપરજોય જેમ જેમ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસર તેજ થઈ રહી છે. ચક્રવાતી તોફાન બિપરજોય આજે સાંજે ટકરાય તેવી શક્યતા છે. હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ બિપરજોય વાવાઝોડું હાલ ગુજરાતના જખૌ બંદરથી 180 દૂર છે. જે સૌરાષ્ટ્ર અને કચ્છથી પસાર થઈને માંડવી અને કરાચી વચ્ચે જખૌ બંદર નજીક આજે સાંજે ટકરાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં  115 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં બે ઈંચ પડ્યો છે. જ્યારે જૂનાગઢના જ કેશોદ અને ધ્રોલમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. કચ્છના ભૂજ અને અંજાર તેમજ  અમરેલીના લીલીયામાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. અમરેલીના ખાંભામાં પણ એક ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં બે  કલાકમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તમામ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. 


આજે ક્યાં છે વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહી મુજબ તા 15મી એટલે કે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ડાંગ તથા તાપીમાં 40થી 50 કિમી, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદમાં 50થી 60 કિમી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં 65થી 75 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાની કચ્છ-ભૂજમાં સૌથી વધુ અસર થવાની શક્યતા છે ત્યારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદર સહિત રાજ્યમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube