અમદાવાદઃ ગુજરાતમાં સમુદ્રી ચક્રવાત તોફાન બિપરજોય આવવાનું છે. રાજ્યનો સમુદ્રી વિસ્તાર એલર્ટ મોડ પર છે. તંત્ર સતત સાવચેતીના પગલા ભરી રહ્યું છે. ગુજરાતમાં 15 જૂને બપોરે સમુદ્રી તોફાન કચ્છના માંડવી અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે પહોંચી શકે છે. વાવાઝોડા દરમિયાન 100 કિમી પ્રતિ કલાકની વધુની ગતિએ પવન ફુંકાઈ શકે છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં કેન્દ્ર સરકાર તરફથી યોગ્ય મદદની ખાતરી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે કરી વાત
ગુજરાતમાં 15 જૂને બપોરે સંભવિત વાવાઝોડું બિપરજોય આવી રહ્યું છે. રાજ્યમાં તંત્ર એલર્ટ મોડ પર છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. વાવાઝોડાના ખતરાને જોતા આજે દિલ્હીમાં પીએમ મોદીએ મહત્વની હેઠક યોજી હતી. પીએમ મોદીએ વાવાઝોડાની સમીક્ષા કરી અધિકારીઓને યોગ્ય નિર્દેશ આપ્યા હતા. તો રાત્રે પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ ટેલીફોનિક વાતચીત કરી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા મદદની ખાતરી આપી હતી. 


સૌરાષ્ટ્ર, કચ્છના કાંઠે 15મીએ બપોરે 12 વાગ્યે ભારે પવન સાથે ટકરાશે બિપરજોય  


IMDના ડાયરેક્ટર જનરલે બિપરજોય પર શું કહ્યું?
IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ચક્રવાત બિપરજોય ધીમે ધીમે ઉત્તર દિશામાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને 14 જૂન પછી તેની દિશા બદલશે. 15 જૂનની બપોર સુધીમાં 125-135 કિમી/કલાકની ઝડપે ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠે ત્રાટકશે. 14-15 જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડશે.


વાવાઝોડાના તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube