Loksabha Election 2024 : ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો પ્રચાર ચાલી રહ્યો છે. આજે પણ રૂપાલાએ પાટીદાર સમાજ વચ્ચે પ્રચાર કર્યો. ત્યારે હવે પરશોત્તમ રૂપાલાની વિવાદિત ટીપ્પણીનો મામલે હાઈકમાન્ડે મોટા ફેરફાર કર્યા છે. રૂપાલાની પ્રચાર ટીમમાં ટોપ લેવલના ફેરફાર કરાયા. જેમા મોટાગજાના નેતાઓને બાયપાસ કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ ન માત્ર રાજકોટમાં, પરંતુ ક્ષત્રિયોના વિરોધની આગ હવે અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ છે. ભાજપ ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ કરી રહી છે. આ ડેમેજ કન્ટ્રોલમાં મોટો નિર્ણય લેવાયો છે. હાલમા જ દિલ્હીથી પરત ફર્યા બાદ રૂપાલાની પ્રચાર ટીમમાં બદલાવ કરાયો છે. રૂપાલાના રથના સારથી અને કોર ટીમમાં વ્યાપક બદલાવ કરાયો છે. 


સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ : 9 એપ્રિલે કમલમ ઘેરવાની રાજ શેખાવતની ચીમકી


અત્યાર સુધી આ બેઠક માટે જેના હાથમાં સુકાન હતું, તેવા મોટાગજાના એક નેતાને પ્રચારની ભૂમિકામાં બહાર ધકેલાયા છે. એવી ચર્ચા છે કે, રાજકોટમાં ટિકિટની ઈચ્છા ધરાવતા એક મજબૂત દાવેદારને ભાજપે ટિકિટ ન આપી, અને રૂપાલાને ચાન્સ મળ્યો. આવામાં રૂપાલાની એક ટિપ્પણી રાજકીય મુદ્દો બની ગયો. આવામાં આ નેતાને લોકસભાની ચૂંટણીમાં રૂપાલાના પ્રચારમાંથી દૂર કરાયા છે. તો બીજી તરફ નવી ટીમ બનાવીને પ્રચારમાં કામે લાગી ગઈ છે. 


 


ગેરેજમાં ગુટર ગુ : બંધ ગેરેજમાં ગાડીનું એન્જિન ચાલુ રાખી મોજ કરવામાં ગયો કપલનો જીવ


કરણી સેના કમલમને ઘેરશે
રૂપાલાને રાજકોટની બેઠક પરથી હટાવવા હવે ક્ષત્રિયો માટે વટનો સવાલ બની ગયો છે. વિવાદમાં આગ હવે ગુજરાતના ગામેગામ પહોંચી છે. ત્યારે હવે આ આગ ભાજપ કાર્યાલય કમલમ સુધી પહોંચવાની છે. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે કમલમના ઘેરાવની ચીમકી આપી છે. રાજ શેખાવતે 9 એપ્રિલે ગાંધીનગરમાં કમલમને ઘેરવાની ચીમકી આપી છે. કરણી સેના ક્ષત્રિયો કેસરિયા ઝંડા સાથે કમલમનો ઘેરાવ કરશે.


મનસુખ માંડવિયાનો જૂનો વીડિયો વાયરલ થતા ભાજપમાં એક્શનમાં આવ્યું, ફરિયાદ કરાઈ