અમિત રાજપૂત/ અમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ ધારાસભ્યો અને ટોચના નેતાઓનું જોત-તોડનું રાજકારણ ગરમાઈ ગયું છે. તેમાં પણ ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં ખેંચવાના પ્રયાસો બાદ બે ધારાસભ્યો રાજીનામું આપીને જોડાઈ ગયા છે. ત્યારે વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા પરેશ ધાનાણીએ આ મુદ્દે જણાવ્યું કે, ભાજપ શામ, દામ અને દંડની નીતિ અપનાવી રહ્યું છે, વિપક્ષને નબળું પાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરેશ ધાનાણીએ કટાક્ષ કરતા જણાવ્યું કે, "ભાજપના 19 આગેવાનો ઘણા લાંબા સમયથી ધારાસભ્ય છે, છતાંય તેમને મંત્રી પદ આપવામાં આવ્યું નથી. ભાજપને પ્રજાનો રોષ સહન કરવો પડશે. ભાજપ વિપક્ષને નબળો પાડવા મથી રહ્યું છે, જેમાં સફળતા મળશે નહીં."


જામનગર ગ્રામ્યના કોંગી ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પણ ભાજપની ઓફર ફગાવી


ધાનાણીએ વધુમાં જણાવ્યું કે, સાબરીયાને ખોટી રીતે ટ્રેપમાં ફસાવાયા છે. આ દબાણના લીધે સાબરીયા ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાને પણ ફસાવાવનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.


જામજોધપુરના ચિરાગ કાલરિયાએ ભાજપમાં જોડાવાની અફવાઓ પર મુક્યું પૂર્ણવિરામ


પરેશ ધાનાણીએ અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં જોડાયેલા રહેવાના નિર્ણયનો આવકાર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ ઉપરાંત અમરીશ ડેર અને વિમલ ચુડાસમાને પણ દબાવાનો પ્રયાસ કરાયો હતો. ભાજપ દ્વારા ષડયંત્ર ઘડીને ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં ખેંચવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. અમરેલીની જનતાએ ભાજપને જવાબ આપી દીધો છે. હવે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતા પણ ભાજપને જવાબ આપશે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....