અમદાવાદ : ભાજપનાં નવા પ્રદેશપ્રમુખ સી.આર પાટીલનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ પોતાની ગુજરાત યાત્રા દરમિયાન અનેક કોરોના પોઝિટિવ નેતાઓના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતાને પગલે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જો કે આ એન્ટિજન ટેસ્ટ હતો જે નેગેટિવ આવ્યો છે. હવે તેમનો RTPC ટેસ્ટ કરવામાં આવશે. આ રિપોર્ટ આવ્યા બાદ જ નિશ્ચિત થશે કે તેઓ કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ. હાલ તો તેમનો એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યો જે પાટિલ અને ભાજપ બંન્ને માટે રાહતના સમાચાર છે. 


પોતાની હત્યા ન થાય તે બીકે પિસ્તોલ લઈને ફરતો શખ્સ ઝડપાયો

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેના પગલે સી.આર પાટીલે પણ પોતાનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. તેમને છેલ્લા ઘણા દિવસથી સી.આર પાટીલને નબળાઇ વર્તાઇ રહી હતી. જેથી એપોલો હોસ્પિટલમાં તેઓનું સિટી સ્કેન કરવામાં આવ્યું હતું. જ્યારે એન્ટિજન ટેસ્ટ પણ કરાયો હતો જે નેગેટિવ આવ્યો છે. જો કે તકેદારીના ભાગરૂપે તેમને RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જેના રિપોર્ટ હાલ બાકી હોવાનું તેમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી. જો કે આ ટ્વીટમાં તેઓનો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાની સ્પષ્ટતા પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. હાલ તે ઓબ્ઝર્વેશન હેઠળ એપોલો હોસ્પિટલમાં છે. 
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube