Babubhai Desai: ગુજરાતમાં આવતા મહિનાથી ખાલી થઈ રહેલી રાજ્યસભાની ત્રણ બેઠકો માટે મોટા નામો ચર્ચામાં હતા, પરંતુ પાર્ટીએ બનાસકાંઠા અને ઊંઝા સાથે સંકળાયેલા બાબુભાઈ દેસાઈને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લીધો છે. દેસાઈના માધ્યમથી પાર્ટીએ રાજ્યમાં અનેક સમીકરણો સાધવાનો પ્રયાસ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પટણા: પોલીસે નેતાઓ-કાર્યકરોને દોડાવી દોડાવીને માર્યા, લાઠીચાર્જમાં BJP નેતાનું મોત


ગુજરાતમાં ભાજપમાંથી રાજ્યસભા  (Rajya Sabha Election 2023) માં કોણ જશે? આ અંગે ઘણા સમયથી સસ્પેન્સ હતું. રાજ્યની રાજનીતિમાં નો-રિપીટ થિયરી પછી બહાર થઈ ગયેલા તમામ મોટા નામોના આ ચહેરાઓને પસંદ કરીને ભાજપે ફરી એકવાર લોકોને ચોંકાવી દીધા છે, પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક તીરે અનેક નિશાન તાક્યા છે. ભાજપે એક રણનીતિ હેઠળ ગુજરાતના રબારી સમાજના ભામાશા (Babubhai Desai) બાબુભાઈ દેસાઈ પર દાવ લગાવ્યો છે.


સુધરો! દરવખતે નહીં બચાવે સરકાર, લાખો ખર્ચી ગેરકાયદેસર US જનારા 4 ગુજરાતીઓ 6 મહિનાથી


એક બાબુભાઈ પણ ભાજપના નિશાના અનેક
બાબુભાઈ દેસાઈને રાજ્યસભામાં મોકલીને ભાજપ રાજ્યના પશુપાલક રબારી સમાજને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે. રબારી સમાજ ઓબીસી કેટેગરીમાં આવતો હોવાથી પાર્ટીએ OBC સમાજને સાધવાનો પ્રયાસ કર્યો છે. ત્રીજું સૌથી મોટું કારણ એ છે કે બાબુભાઈ દેસાઈ ધાર્મિક વૃત્તિના (Babubhai Desai) માણસ છે અને દ્વારકાધીશ મંદિર માટે ઘણું દાન આપ્યું છે.


ગુજરાતમાં વધુ એક ટ્રેન અકસ્માત થતા રહી ગયો, ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું


 આવી સ્થિતિમાં પાર્ટીને લાગે છે કે તેમની ઉમેદવારીથી એકંદરે સારો સંદેશ જશે. આ બધા સિવાય બાબુભાઈ દેસાઈ પોતે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાંથી જીતીને એક વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ બેઠક પાટણ લોકસભામાં આવે છે. હાલ આ બેઠક કોંગ્રેસ પાસે છે. આવા સંજોગોમાં ઉત્તર ગુજરાતની પાટણ લોકસભા બેઠક પર કાંકરેજના પૂર્વ ધારાસભ્યને તક આપીને પક્ષે ચૂંટણીના સમીકરણને સરળ બનાવ્યું છે.


Honda એ 'છાનામાના' લોન્ચ કરી દીધું આ નવું સસ્તું સ્કૂટર, ભુક્કા કાઢી નાખે એવા ફીચર્સ


ત્રણ જગ્યાઓના સમીકરણો
ભાજપના અન્ય દાવેદારોને પણ બાબુભાઈ દેસાઈની (Babubhai Desai) ઉમેદવારીથી કોઈ વાંધો નથી કારણ કે બાબુભાઈ માત્ર ભાજપના સમર્પિત નેતા અને કાર્યકર નથી પરંતુ તેઓ પક્ષને અનેક પ્રસંગોએ આર્થિક મદદ પણ કરતા રહ્યા છે. આવી સ્થિતિમાં બાબુભાઈ દેસાઈના નામ પર કોઈ આંગળી ચીંધી શકે એમ નથી. આ બધા સિવાય બાબુભાઈ દેસાઈ ત્રણ સ્થળો સાથે સંબંધિત છે. દેસાઈ મૂળ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઉમરીના વતની છે. દેસાઈનો જન્મ 1 જૂન 1957ના રોજ આ ગામમાં થયો હતો. દેસાઈ હવે અમદાવાદના સોલા રોડ પર ગુલાબ ટાવર પાસે ભગવતીનગર સોસાયટીમાં તેમના નિવાસસ્થાને રહે છે, પરંતુ મૂળ નિવાસ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં મકતુપુરમાં છે. આવી સ્થિતિમાં ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં તેમની હાજરી છે.


Chandrayaan-3: જાણો આકાશમાં જમા સ્પેસનો કચરો પૃથ્વી પર પડી શકે ખરાં?


બાબુભાઈ દેસાઈ વ્યવસાયે બિલ્ડર છે
એસએસસી સુધી અભ્યાસ કર્યા બાદ બાબુભાઈ દેસાઈ (Babubhai Desai) ખેતી, પશુપાલન સાથે જમીન વિકાસ અને મકાન બાંધકામ ક્ષેત્રે સક્રિય છે. અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલ ઈસ્કોન મંદિરની સરમાઉન્ટ બિલ્ડીંગ તેમની મુખ્ય ઓફિસ છે. બાબુભાઈ પોતાની અંગત કમાણી સામાજિક અને ધાર્મિક કાર્યોમાં ખર્ચી રહ્યા છે. 


ગુજરાતના આ પ્રખ્યાત મંદિરમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકાયો, બરમુડામાં પણ નહિ ચાલે


ધાર્મિક કાર્યોમાં રુચિ રહે
દેસાઈ (Babubhai Desai)ને ધાર્મિક પ્રસંગોમાં ખૂબ રસ છે. તેઓ ભૂતકાળમાં બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. દેસાઈ તુલસી વિવાહ, રમેશભાઈ ઓઝાની ભાગવત કથા, ભોજન પ્રસાદ, મહા વિષ્ણુ યજ્ઞ, રામરોટી અન્નક્ષેત્ર, દ્વારકાધીશ મંદિરની મૂર્તિનું સોના અને ચાંદીનું સિંહાસન, 9 દિવસીય પાયલોટ બાબા યજ્ઞ, 108 અને યજમાન જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો માટે અગાઉ દાન આપી ચૂક્યા છે. દ્વારકાધીશ મંદિર ધ્વજ ફરકાવવામાં પણ દેસાઈ આગળ છે. ગુજરાતમાં દેસાઈ ખાસ કરીને દ્વારકાધીશ મંદિર પ્રત્યેની તેમની ભક્તિ અને દાન માટે પ્રસિદ્ધ છે.


આવી ગઇ ખુશખબરી! ટાટા ગ્રુપે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 1 લાખ બદલે મળશે 7 કરોડ