Parsottam Rupala : પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદને કારણે ભાજપમાં હવે જોયા જેવી સ્થિતિ પેદા થઈ રહી છે. ભાજપના એક નેતાએ ચાલુ ભાષણ આપતાં આપતાં વચ્ચેથી અચાનક પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. બોટાદમાં ‘મોદી પરિવાર સભા’ માં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રીએ રૂપાલાના નિવેદનના વિરોધમાં રાજીનામું આપ્યું છે. ત્યારે આ કિસ્સા હવે ચર્ચા જગાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ બોટાદ તાલુકા ભાજપ મહામંત્રીએ રાજીનામું આપ્યું છે. ક્ષત્રિય સમાજને લઈ રૂપાલાના નિવેદન મામલે બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી વિજય ખાચરે રાજીનામું આપ્યું. બોટાદના પાળીયાદ ખાતે મોદી પરિવાર સભામાં જાહેર કાર્યક્રમ દરમ્યાન વિજય ખાચરે ભાષણ વચ્ચે પોતાનું રાજીનામું આપ્યુ હતું. સાથે જ રૂપાલાના નિવેદન મામલે મોવડી મંડળ સુખદ અંત લાવે તેવી પણ કાર્યક્રમ અંતર્ગત કરી જાહેરમાં રજૂઆત કરી હતી. 


ગુજરાતમાં મિની વાવાઝોડું ફૂંકાયું, ભારે પવન ફૂંકાતા ઘરના પતરા અને મંડપ ઉડ્યા


ગુજરાત સરકારે દીકરીઓ માટેની આ જૂની યોજના ફરીથી શરૂ કરી, તમારી દીકરીને મળશે રૂપિયા