રઘુવીર મકવાણા/બોટાદ : નવરાત્રીના પાવન અવસરે ગઈકાલે બોટાદ જિલ્લામાં લગ્નના બીજા જ દિવસે પતિને પ્રેમીના સહકારથી પત્નીએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનારા પ્રેમી પંખીડાને પોલીસે પકડી પાડયા હતા. સમગ્ર ઘટના એક ફૂલ દો માલીની જેમ બે બે પ્રેમીઓ સાથે ખેલ ખેલનારી પ્રેમીકાએ આગલા દિવસે લગ્ન કરીને બીજા દિવસે પતિને ઘરે બોલાવીને મારી નાખવાની ઘટના ઘટી હતી. ત્યારે હાલ તો આ પ્રકણ ત્રિકોણનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલની પલ્લી કે જ્યાં ઘીની નદીઓ વહે છે, આશ્ચર્યજનક રીતે આ ઘીનો ડાઘ કપડા પર પડતો નથી


બોટાદમાં રહેતી પૂજા મકવાણા નામની યુવતી જ્યારે તેમની બાજુમાં છે રમજાન ઉર્ફે બાલો યુસુફ નિયાતર આ બંને પ્રેમી પંખીડાએ પ્રમોદ શશીકાંત જોશીની ગઈકાલે છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. જેના પગલે સમગ્ર હત્યા અંગે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પૂજા મકવાણાના બે બે પ્રેમીઓ સાથે સંબંધો ધરાવતી હતી. બંને સાથે પ્રેમ સંબંધને પગલે ઉભા થયેલા કકળાટને કારણે પ્રેમી પ્રમોદની હત્યા કરવામાં આવેલ હતી. બે દિવસ પહેલા જ ભગુડા ખાતે માતાજીના દર્શને ગયેલ પૂજા મકવાણા સાથે બન્ને પ્રેમીઓ હતા. 


GUJARAT CORONA UPDATE: 14 નવા કેસ, 17 રિકવર થયા, એક પણ મોત નહી


જો કે માતાજીની સાક્ષીએ પૂજાએ પ્રેમી પ્રમોદ સાથે લગ્ન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. લગ્નના બીજા જ દિવસે પૂજા જે મકાનમાં રહેતી હતી ત્યાં પ્રમોદને બોલાવીને પ્રેમી રમજાન સાથે પૂજાએ પતિ પ્રમોદને મોતને ઘાટ ઉતારીને નાસી છૂટેલા પ્રેમી પંખીડાઓ આજે પોલીસની ગિરફ્તમાં આવી ગયા હતા. ફિલ્મોમાં બનતી ઘટનાઓની જેમ વાસ્તવિકતામાં બોટાદમાં બન્યું હતું. એક પ્રેમિકાને પામવા બે પ્રેમીઓ વચ્ચેના પ્રેમ સંબંધથી એક પ્રેમી પતિની હત્યા થઈ હતી. બંને હત્યારા પ્રેમી પંખીડાની પોલીસે ગણતરી જ કલાકોમાં ધરપકડ કરી લીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube