Gujarat Weather Forecast : ગુજરાત પર હાલ મંડરાઈ રહેલા સંકટ વચ્ચે ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યૂ ટીમ કામે લાગી છે. દરિયાકાંઠે તંત્ર ખડેપગે ઉભુ છે. ત્યારે કોસ્ટગાર્ડની ટીમે દરિયામાં વચ્ચોવચ એક શિપમાં ફસાયેલા 50 કર્મચારીઓને મહામહેનતે બચાવ્યા હતા. ભારતીય તટ રક્ષક પ્રાદેશિક મુખ્ય મથક ઉત્તર પશ્ચિમે ઓઇલ ડ્રિલિંગ શિપ 'કી સિંગાપોર'માંથી 50 કર્મચારીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડાના તોફાન વચ્ચે કોસ્ટગાર્ડની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં ઓખા નજીક 50 કર્મચારીઓનું રેસ્ક્યૂ કરાયુ હતું. કોસ્ટગાર્ડને ગઈકાલે સાંજે એલર્ટ મળ્યુ હતુ કે, ખરાબ હવામાનને કારણે 50 કર્મચારીઓ એક શિપ પર ફસાયેલા છે. એલર્ટ બાદથી જ કોસ્ટગાર્ડની ટીમ મદદે પહોંચી ગઈ હતી. 


દ્વારકા મંદિરમાં વાવાઝોડાને કારણે આજે નહિ ચઢાવાય ધજા, ધજાને પ્રસાદ રૂપે ધરાવાશે


વાવાઝોડાનું તાંડવ શરૂ થઈ ગયું, વેરાવળમાં વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો


અત્યંત ગંભીર ચક્રવાત ‘બિપરજોય’ નજીક આવવાને કારણે અત્યંત ઉબડખાબડ દરિયાઈ પરિસ્થિતિ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે આ રીંગ દેવભૂમિ દ્વારકાથી ખુલ્લા સમુદ્રમાં 25 માઈલ દૂર છે. 


આગામી 5 દિવસ દીવ-દમણ કે દ્વારકા-સોમનાથના પ્રવાસે ન જતા, નહિ તો બરાબરના ફસાશો