• સાબરનગરના હિંમતનગર સહકારી જીન નજીક ગમખ્વાર અકસ્માત

  • ટ્રેલર પાછળ કાર ઘુસી જતા સાતના મૃત્યુ, એકની સ્થિતિ ગંભીર

  • શામળાજીથી અમદાવાદ જતા સમયે નડ્યો અકસ્માત

  • તમામ મૃતકો અમદાવાદના હોવાનું સામે આવ્યું


ઝી બ્યૂરો, અમદાવાદઃ બુધવારનો દિવસ 7 અમદાવાદીઓ માટે ગમખ્વાર બનીને આવ્યો. વહેલી સવારે રોડ અકસ્માતમાં 7 લોકોના કમકમાટી ભર્યા મોત થયા. શામળાજીથી પરત આવી રહેલી ઈનોવા કાર ટ્રેલર પાછળ ઘુસી ગઈ અને કચ્ચરઘાણ વળી ગયો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર એક કાર ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી જતાં 7 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય એકની હાલત પણ ગંભીર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીવાયએસપી એ.કે.પટેલે અકસ્માત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે સવારે શામળાજીથી હિંમતનગર આવતા રોડ પર ઈનોવા કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. ઈનોવા પાછળથી ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી. શામળાજીથી હિંમતનગર આવતા રોડ પર સવારે ઈનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. ઈનોવામાં જે 8 લોકો સવાર હતા તેમાંથી 7 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તમામ મૃતક અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.


તમામ મૃતકો અમદાવાદીઃ
ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. જોકે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાસી હોવાનું ખૂલ્યું છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે GJ01RU0077 નંબરની ઈનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હતી. જે એક વ્યક્તિ આ અકસ્માતમાં બચ્યો હતો તેની હાલત પણ ગંભીર છે અને તેને સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 


અકસ્માત એટલો ગંભીર હતો કે ઈનોવા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારની અંદર લાશો ફસાઈ ગઈ હતી. જેના કારણે ગેસ કટરથી કારનાં પતરાં કાપી લાશોને બહાર કાઢવી પડી હતી.હિંમતનગરમાં સહકારી જીન નજીક આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જ્યાં શામળાજી તરફથી અમદાવાદ આવતી કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં એકની હાલત ગંભીર છે જેની સારવાર ચાલી રહી છે.


મૃતકોની યાદીઃ
1.ધનવાની ચિરાગ રવિભાઈ
2. રોહિત
3. સાગર ઉદાની
4. ગોવિંદ
5. રાહુલ
6. રોહિત
7. બર્થ
આ તમામ મૃતકોની લાશને પીએમ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.


ઇજાગ્રસ્ત હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ:
હનીભાઈ શંકરલાલ તોતવાની (ઉ.વ. 22, કુબેરનગર, અમદાવાદ)