રાજકોટ : શહેરમાં ચાર દિવસ પહેલા જ પરણેલી માનસી સરવૈયા નામની યુવતીએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઇ છે. હાથોની મહેંદી સુકાઇ તે પૂર્વે જ નવોઢાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરનાં દોડઢો ફૂટ રોડ પર આવેલા ઓમ નગર શેરી નંબર 2માં રહેલી માનસી બેન ભાવિન ભાઇ સરવૈયા નામની 24 વર્ષીય પરિણીતાએ પોતાનાં ઘરે ઉપરનાં રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાભીએ આપઘાત કર્યાની જાણ થતા સૌપ્રથમ તેમના નણંદને થઇ હતી. ભાભીની લાશ લટકતી જોઇ નણંદે દેકારો મચાવ્યો હતો. જેના પગલે આસપાસનાં લોકો એકત્ર થઇ રહેલા પરિવારજનોએ તત્કાલ અસરથી માનસીને નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જો કે સિવિલ હોસ્પિટલ ફરજ પર હાજર રહેલા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 


જેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીથી બનાવ અંગેની જાણ તાલુકા પોલીસને કરવામાં આવી હતી. તાલુકા પોલીસને જાણ થતા જ પીએસઆઇ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં મૃતક માનસીનાં માતા-પિતા રાજકોટ શહેરનાં રાજકોટ શહેરને મવડી વિસ્તારમાં આવેલા અમરનગરમાં રહે છે. લગ્ન બાદ તે પોતાનાં પતિ સાસુ સસરા સાથે નણંદ સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. પોલીસ દ્વારા આ અંગે કાયદેસરની કાર્યાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube