અતુલ તિવારી, અમદાવાદ: રાજ્યમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. સતત વધી રહેલા કોરોનાના કહેરને પગલે ફરી એકવાર કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. આરોગ્ય વિભાગના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ તથા એકેડેમિક એક્સપર્ટ ડૉક્ટર આજે ગુજરાતની મુલાકાતે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, ડોક્ટર રાજીવ ગુપ્તા હયાત હોટેલમાં ઉપસ્થિત છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સાથે બેઠક કરી હતી. અને આ બેઠકમાં ગુજરાતમાં કોરોનાના કેસો અંગેની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. કોરોનાના કહેર અને તેની સામે સુવિધા અને સાવચેતીના કેવા પગલાં લીધેલા છે તે અંગે સમીક્ષા કરી હતી. 


આરોગ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલની ટીમે વસંતનગર ટાઉનશિપ ગોતા ખાતે ધનવંતરી રથની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત બાદ લક્ષ્મણ ગઢનો ઢેકરે - ઘાટલોડિયા જશે પછી કઠવાડાની મુલાકાત લેશે. વસંતનગરમાં કોરોનાની સ્થિતિ અને ધનવંતરી રથની સમીક્ષા કરી હતી. કેન્દ્રની ટીમ સાથે આરોગ્ય કમિશનર જે.પી શિવહરે હાજર રહ્યા હતા.


અમદાવાદની સિવિલ અને સોલા હોસ્પિટલની મુલાકાત લેશે અને સાથે જ અમદાવાદ કલેકટર અને AMC વિભાગ સાથે મહત્વની બેઠક કરશે.  સાંજે 4 વાગ્યે સીએમ નિવાસસ્થાને પણ બેઠકનું આયોજન છે. CM ડેશબોર્ડથી સિવિલ હોસ્પિટલના દર્દીઓ સાથે તેઓ ખાસ વાતચીત કરશે. ગુજરાત સાથે મહારાષ્ટ્ર, તેલંગણાની પણ મુલાકાત લેશે.


સવારે 9 વાગ્યે હયાત હોટલમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ આરોગ્ય કમિશનર, મ્યૂનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. બેઠક બાદ કન્ટેઇનમેન્ટ ઝોન, કઠવાડા તથા ધનવંતરી રથની મુલાકાત લેશે. કેન્દ્રની ટીમ શહેરની હોસ્પિટલની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. આજે મુલાકાત બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube