ChhotaUdepur News છોટાઉદેપુર : કવાંટના ધનીવાડા ગામે નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી. નાનાભાઈએ કુહાડીનો ઘા મારી મોટાભાઈનું ઢીમ ઢાળી દીધું હતું. મોટાભાઈએ નાનાભાઇને ઘર જમાઈ લાવવા અંગે ટોકતા તે ગુસ્સે થયો હતો. ઘર જમાઈ લાવવા બાબતે મનમાં ઝેર ફરીને ફરતા નાનાભાઈએ મોકો મળતાં મોટાભાઈની હત્યા કરી. મોટાભાઈનો દીકરો પરિવાર સાથે ગામમાં લગ્નમાં જતાં મોકાનો લાભ લઈ નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, કવાંટ તાલુકાના ધનીવાડા ગામમાં સામીધેડ ફળિયુ આવેલું છે. અહી હરિયાભાઈ રાઠવા અને તેમનો નાનો ભાઈ કિશનભાઈ રાઠવાનો પરિવાર રહે છે. બંને ભાઈઓ વચ્ચે ઘર જમાઈ રાખવા બાબતે ગત રોજ બોલાચાલી થઈ હતી. કિશન રાઠવાને પોતાની દીકરીને ઘર જમાઈ રાખવાની હતી. પરંતુ મોટાભાઈ હરિયા રાઠવાએ તેને કહ્યું કે, કોઇ સારૂ માંગુ હોય અને માણસ સારા હોય તો ઘ૨ જમાઇ રાખો અને તમારી દીકરીને ઘર જમાઇ તર્રીકે ના રાખવી હોય તો અમે તમોને પાલવી (સાચવી) લઈશું.


આ ગુજરાતી આર્કિટેક્ટે નવુ સંસદ ભવન બનાવવા કેટલા રૂપિયા લીધા? ચારેતરફ થઈ રહી છે ચર્ચા


આ બાદ કિશન રાઠવાએ ઘર જમાઈની વાત પડતી મૂકી હતી. પરંતુ નાના ભાઈએ મોટાભાઈ સાથે વાતચીત કરવાનું બંધ કર્યુ હતું. બંને પરિવાર વચ્ચેના વહેવારો પણ બંધ થયા હતા. બંને પરિવારો સામસામે મળે તો જન્મોજનમના વેર હોય એ રીતે વર્તતા હતા. એકબીજા પ્રત્યે બંનેના પરિવારજનોના મનમાં કડવાશ આવી ગઈ હતી. 


ગતરોજ અચાનક હરિયાભાઈ ખાટલા પર બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમના કાનના ભાગ પરથી લોહી નીકળતુ હતું. તેમને તાત્કિલાક હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.


આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, IPL ને કારણે રહેશે બંધ


તપાસ કરતા જાણવા મળ્યું કે, મોટાભાઈએ નાનાભાઈને ઘર જમાઈ લાવવા બાબતે ટોકતા નાનાભાઈએ કુહાડીનો ઘા મારી મોટાભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તેના બાદ નાનોભાઈ ઘરે તાળુ મારીને બહાર જતો રહ્યો હતો. આ મુદ્દે હરિયાભાઈના દીકરાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.