આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, IPL ને કારણે રહેશે બંધ

Ahmedabad Traffic Diversion : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ રમાશે... આ કારણે જનપથથી મોટેરા સુધીનો રસ્તો બપોરના 2થી રાત્રિના 2 સુધી બંધ કરાયો છે

આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, IPL ને કારણે રહેશે બંધ

IPL 2023 Final At Narendra Modi Stadium : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાત્રે 7.30 વાગે ફાઇનલ મેચ રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો જામશે. ત્યારે આજે આઈપીએલની ફાઈનલ મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડે એમ છે. આઈપીએલ ફાઈનલની તમામ ટિકિટ વેચાઈ રહી છે. આવામાં આ વિસ્તારમાં ટ્રાફિક થાય તેની પૂરેપૂરી શક્યતા છે. તે જોતા અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. લોકોને ડાયવર્ઝન અપાયુ છે. તેમજ ટ્રાફિક જામ ન થાય તે માટે અન્ય વૈકલ્પિક રુટ જાહેર કરાયા છે. તો કેટલાક રસ્તા બંધ રાખવામાં આવનાર છે. 

આ રસ્તા રહેશે બંધ 
આજે બપોરના 2થી રાતના 2 વાગ્યા સુધી જનપથથી મોટેરા સુધીનો રસ્તો બંધ રાખવામાં આવશે. આ રસ્તા પરથી લોકો ચાલીને જ જઈ શકશે. આ જાહેરનામું આજે રાતના 2 વાગ્યા સુધી અમલમાં રહેશે. સાથે જ પોલીસે જણાવ્યું કે,  આ સાથે જ લોકો માત્ર ચાલતા જ આ રસ્તેથી જઈ શકશે.

આ વૈકલ્પિક રસ્તે જવું
વૈકલ્પિક માર્ગ રુટ પણ અમદાવાદ પોલીસ દ્વારા જાહેર કરાયો છે. જેમાં જનપથથી વિસત થઈ ONGC સર્કલ તરફ જઈ શકાશે. આ સાથે જ જો અંદરના રસ્તેથી અવરજવર કરવી હોય તો કૃપા રેસિડન્સી થઈને માર્ચ કોટેસ્વરના માર્ગ પરથી અવરજવર કરી શકાશે.

ધોનીની છેલ્લી મેચ બને તેવી શક્યતા 
આજે રમાનારી IPL ની ફાઇનલમાં ભારતીય પૉપ સિંગર કિંગ દર્શકોને મનોરંજન પૂરું પાડશે. સતત બીજાવર્ષે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL 2023 ની ફાઇનલ રમાશે. ગત વર્ષે IPL માં પહેલીવાર રમતા ગુજરાત ટાઈટન્સ ચેમ્પિયન બન્યુ હતું. ગત વર્ષે IPL ટ્રોફી જીત્યા બાદ આ વર્ષે ફરી એકવાર GT આ વર્ષે IPL ની ફાઇનલમાં પહોંચ્યું છે. કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ સતત બીજીવાર ગુજરાત ટાઈટન્સ ફાઈનલ જીતવા મેદાને ઉતરશે. તો બીજીતરફ ચેન્નઈ સુપરકિંગ્સ 10મી વખત IPL ની ફાઇનલમાં પહોંચ્યું છે. CSK અત્યાર સુધીમાં 4 વખત IPL માં બની ચૂક્યું છે ચેમ્પિયન, પાંચમીવાર IPL ટ્રોફી જીતવા મેદાને ઉતરશે. IPL 2023ની ફાઇનલ CSK ના 41 વર્ષીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની કારકિર્દી માટે છેલ્લી મેચ બની રહે તેવી શક્યતા છે. જો કે આગામી સીઝનમાં CSK તરફથી રમવું કે IPL થી પણ નિવૃત્ત થવું તે અંગે આગામી 9 મહિનામાં નિર્ણય લેવા અંગે એમ.એસ. ધોની કહી ચુક્યો છે. 

ટ્રોફી જીતનારને કેટલા રૂપિયા મળશે 
IPL ટ્રોફી જીતનાર ટીમને 20 કરોડ રૂપિયા તો ફાઇનલમાં હારનાર ટીમને 13 કરોડ રૂપિયા મળશે. IPL 2023માં ત્રીજા નંબરે રહેલી મુંબઈ ઇન્ડિયન્સને 7 કરોડ તો ચોથા નંબરે રહેલી લખનઉ સુપરજાયન્ટસને 6.5 કરોડ રૂપિયા મળશે. ઇમરજિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટને 20 લાખ રૂપિયા, સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન, ઓરેન્જ કેપ અને પર્પલ કેપ વિજેતાને 15 - 15 લાખ રૂપિયા તો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન, સૌથી વધારે સિક્સર, ગેમ ચેન્જર ઓફ ધ સિઝન માટે 12 - 12 લાખ રૂપિયા મળશે. IPL 2023માં સૌથી વધુ 853 રન ગુજરાત ટાઈટન્સના શુબમન ગિલે ફટકાર્યા છે, સૌથી વધુ 28 વિકેટ પણ ગુજરાત ટાઈટન્સના મોહમદ શમીએ ઝડપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news