હિતલ પારેખ/ગાંધીનગર :સીએમઓના સચિવ અશ્ચિની કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને ગુજરાતમાં કોરોના વાયરસ (Corona virus) ને પગલે લોકડાઉન અંગે જરૂરી સેવાઓ અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે મહત્વની જાહેરાતો કરી હતી. ગુજરાતના વિદ્યાર્થીઓ અંગે ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અંગે જાહેરાત કરાઈ હતી કે, હાલ તમામ શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને બંધ રાખવામાં આવશે. ધોરણ 1 થી 8 અને 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ આપવામાં આવશે. 


Video : ઝીણામાં ઝીણી કાળજી રાખ્યા છતા અમદાવાદની આ યુવતીને થયો Corona