વડોદરાઃ ફતેપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. અડાણીયા પુલ પાસે બે જૂથ વચ્ચે અથડામણ થતા પથ્થરમારો થયો છે..બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થતા નાસભાગ મચી છે.. આ પથ્થરમારામાં અનેક લોકોને ઈજા પહોંચી છે.. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે 10થી વધુ ટીયરગેસના સેલ છોડ્યા છે... પથ્થરમારાને લઈને ફતેપુરા વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. 


આ ઘટના રામનવમીની રથયાત્રા દરમિયાન બની હતી. આ આ રથયાત્રા શરૂ હતી ત્યારે તેના પર પથ્થરમારો કરતા બબાલ થઈ હતી. પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આવીને મામલો શાંત પાડ્યો હતો પરંતુ ફરી અન્યસ્થળે પથ્થરમારો શરૂ થયો છે. ન્યાયમંદિર અને પદ્માવતિ શોપિંગ સેન્ટર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.