અતુલ તિવારી/અમદાવાદ :પોતાના ધારાસભ્યોને બચાવવા કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલથી ઝોનવાઈઝ બેઠકોનો દોર શરૂ કર્યો છે. જેમાં સૌરાષ્ટ્રના 19 ધારાસભ્યો રાજકોટની નીલસિટી રિસોર્ટમાં એકઠા થયા હતા. ત્યારે લોકડાઉનના ભંગને પગલે નીલસિટી રિસોર્ટના માલિક, મેનેજર વિરુદ્ધ જાહેરનામાની ફરિયાદ કરવામાં આવી છે. લોકડાઉનમાં હજી આવતીકાલથ રેસ્ટોરન્ટ્સ અને હોટલ ખૂલવાના છે. તેઓને ખોલવાના હજી સુધી પરમિશન મળી નથી. આવામાં રિસોર્સ સામે કલમ 188 અને 135 મુજબ રાજકોટ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ નીલસિટી રિસોર્ટના માલિક ઇન્દ્રનીલ રાજ્યગુરૂ છે. ત્યારે આ ફરિયાદને પગલે કોંગ્રેસ તરફથી આજે રિએક્શન સામે આવ્યું છે. 


83 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, અમદાવાદમાં હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રિસોર્ટ સામે ફરિયાદ મામલે કહ્યું કે, ગુજરાતમાં હંમેશા નાગરિકો સરકાર સામે અવાજ ઉઠાવે ત્યારે સરકાર પોલીસનો ઉપયોગ કરી લોકોને ડરાવે ધમકાવે છે. એક મિટિંગ માટે કોંગ્રેસના ધારાસભ્ય ભેગા થાય ત્યારે લોકોને ડરાવે તે યોગ્ય નથી. નમસ્તે ટ્રમ્પ બાદ આપણે તમામને એકઠા કર્યા. આજે ટ્રમ્પ એ કહ્યું કે ભારતમાં ટેસ્ટિંગ વધારવામાં આવે તો કેસો વધારે સામે આવશે. ટ્રમ્પ પણ સ્વીકારે છે કે ટેસ્ટિંગ ઘટાડી આંકડા છુપાવવામાં આવે છે. ગુજરાતમાં પરિસ્થિતિ હાથથી સરકી રહી છે, who એ કહ્યું છે કે કેસો ભારતમાં વધશે. ચૂંટણી પંચે નિર્ણય લીધો છે ત્યારે ચૂંટણી જીતવા આખું બજેટ લઈને નીકળ્યા છે, ત્યારે લોકડાઉનમાં લોકો ઘરમાં રહ્યા, આર્થિક નુકસાન થયું. કેસો ઘટ્યા નથી. તમામ દેશમાં કેસો ઘટ્યા આપણા ત્યાં કેસો વધ્યા છે, સરકાર નિષ્ફળ છે. 


2017ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ સંકેલાતું ગયું, લિસ્ટ માંડીએ તો લાંબુલચક છે


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર