Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક મોટો ઉલટફેર જોવા મળી શકે છે. તેની શરૂઆત થઈ ચૂકી છે. કોંગ્રેસ-બીટીપી ગઠબંધન ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાયું છે. કોંગ્રેસે ડેડીયાપાડા અને ઝગડીયા બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. જેથી ગઠબંધનના સમીકારણો રોળાઈ ગયા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં બીટીપી સાથે ગઠબંધન થયું હતું. આ વખતે ડેડીયાપાડા પર કોંગ્રેસે જેરમાબેન વસાવાને ટિકિટ આપી છે, જ્યારે ઝગડીયાથી ફતેહસિંહ વસાવાને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. જેથી રાજ્યસભા ચૂંટણીઓમાં બીટીપીના મત કોંગ્રેસને ના મળતા ગઠબંધન તૂટ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ગઠબંધનની રહી સહી આશા ઉપર પણ હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી તેમાં ડેડીયાપાડા અને ઝગડીયા બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં બીટીપી સાથે આ બંને બેઠકો પર કોંગ્રેસનું ગઠબંધન થયું હતું. પરંતુ આ વખતે કોંગ્રેસે ડેડીયાપાડા પર કોંગ્રેસે જેરમાબેન વસાવાને ટિકિટ આપી છે તો ઝગડીયા બેઠક પર ફતેહસિંહ વસાવાને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. રાજ્યસભા ચૂંટણીઓમાં બીટીપીના મત કોંગ્રેસને ના મળતાં આ વખતના મહાસંગ્રામમાં કોંગ્રેસ-બીટીપીનું ગઠબંધન તૂટ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube