ગૌરવ પટેલ/અમદાવાદ :કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) ની તબિયત હજી પણ નાદુરસ્ત છે. કોરોનાની લાંબી સારવાર બાદ પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. તેમને આપવામાં આવતા ઓક્સિજનના પ્રેશરમાં વધારો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ (congress) પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ ભરતસિંહની તબિયત જાણવા સિમ્સ હોસ્પિટલ (CIMS hospital) પહોંચ્યા હતા. તેઓએ ભરતસિંહ સોલંકીની સારવાર કરી રહેલ મેડિકલ ટીમ સાથે મુલાકાત કરી હતી. 


રાજકોટમાં ફૂંફાડા મારતા કોરોનાને કન્ટ્રોલ કરવા કલેક્ટરનો મોટો નિર્ણય, ચા-પાનની દુકાનો પર....  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22 જૂનના રોજ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના બાદ તેઓને તાત્કાલિક વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતું તેમની તબિયત વધુ લથડતા તેઓને થોડા દિવસમાં અમદાવાદ સીમ્સ હોસ્પીટલમાં ટ્રાન્સફર કરાયા હતા. જેના બાદ તેમની તબિયત સતત નાજુક રહેતી છે. હાલ નાજુક તબિયતના કારણે ઓક્સિજનના પ્રેશરમાં વધારો કરવો પડી રહ્યો છે. તેમની તબિયત અંગે સિમ્સ હોસ્પિટલે એક અખબારી યાદીમાં જણાવ્યું કે, 6 જુલાઈના રોજ ભરત સોલંકી કોવિડ-19ની ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ખાતે આવેલ CIMS હોસ્પિટલના આઈસીયુમાં દાખલ થયા હતા. દિવસ દરમિયાન તેમની ઓક્સિજનની જરૂરિયાતમા વધારો થયો છે. હાલમા તેઓને BIPAP પર રાખવામાં આવ્યા છે. હજી ઓક્સિજનની જરૂરિયાત વધી શકે છે. 


શંકરસિંહ વાઘેલાએ કોરોનાને હરાવ્યા 
તો બીજી તરફ, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ 80 વર્ષે કોરોનાને માત આપી છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે શંકરસિંહ વાઘેલાને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શંકરસિંહ વાઘેલા એક સપ્તાહ સુધી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર