ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદમાં કોરોના (corona virus) ના કેસનો આંકડો 1000ને પાર થઈ ગયો છે. ગુજરાતના સૌથી મોટા શહેરમાં કોરોનાનો કહેર ઓછો થઈ નથી રહ્યો. આજે અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુ. કમિશનર વિજય નહેરાએ લોકોને ચેતવ્યા કે, લોકડાઉન ખૂલ્યા બાદ લોકો જનજીવનમાં પરત ફરશે. જેને કારણે ઈન્ફેક્શન રેટ વધી જશે. ત્યાર સુધી અમારો પ્રયાસ સામેથી કેસ શોધીને તેને નાગરિકોમાંથી દૂર કરવાનો છે. જેથી લોકડાઉન બાદ ચેપમાં ઘટાડો લાવી શકાય. આવામાં લોકડાઉન બાદથી પોતાની ફરજ બજાવી રહેલા અનેક સરકારી કર્મચારીઓ અને તબીબો પણ કોરોનાના શિકાર થયા છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં નરોડા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ફાયર કર્મચારીને કોરોનો પોઝિટિવ આવ્યો છે. એટલુ જ નહિ, તેમની પત્ની અને દીકરીને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. 


લોકડાઉન દરમ્યાન પોલીસ દ્વારા જપ્ત વાહનો માટે લેવાયો મોટો નિર્ણય  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરોડા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા સંજય રાઠોડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલુ જ નહિ, તેમની પત્ની અને દીકરીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે ફાયર ઓફિસર સહિત 2 પરિવારોને ક્વોરોન્ટાઈન કરાયાં છે. 


ઉલ્લેખનીય છે કે, ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અજીતસિંહ ગોહિલનો થોડા દિવસ પહેલા ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે તેમના પત્ની અને પુત્રનો પણ ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ લાઈનમાં જ રહેતી અન્ય બે મહિલાઓને પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. લોકડાઉનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓના પરિવાર સુધી પણ વાઇરસ પહોંચી ગયો છે. જેથી પોલીસબેડામાં ફફડાટ ફેલાયો છે.


અમદાવાદમાં કીડીઓની જેમ કોરોનાના દર્દી ઉભરાયા, કેસ 1000ને પાર 


અમદાવાદના અન્ય મહત્વના અપડેટ્સ....


  • મેઘાણીનગર વિસ્તારમાં આજે વસ્તુ લેવા બાબતની તકરારમાં બબાલ થઈ હતી. મેઘાણી નગરની મનીલાલની ચાલીમાં આ મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. 

  • દરિયાપુર પોલીસે સોશિયલ ડિસ્ટનસ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. દરિયાપુર દરવાજા પાસે 1 થી 4 દરમિયાન ભીડ એકઠી ના થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ પણ હજર રહ્યા હતા. શમશેર સિંઘ, નિપુણા તોરવડે અને  નીરજ બડગુજર જેવા ઉપરી અધિકારીઓએ સમગ્ર મામલાનું નિરીક્ષણ કર્યું હતું. દરિયાપુરમાં પણ મહિલાઓને 1 થી 4 દરમિયાન કફરયુમાંથી મુક્તિ આપવામાં આવી છે.

  • જમાલપુર ચકલામાં મહિલાઓની ભીડનો વાયરલ થયેલા વીડિયો બાદ સેકટર-1ના ડીસીપી, એસીપી, પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચ્યો હતો. શાકભાજીની લારીઓ પર મહિલાઓ ભેગી ના થાય તે માટે ચુસ્ત પોલસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આવુ ફરીથી ન થાય તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ફૂટ માર્ચ કર્યું હતું. ત્રણ દિવસ પહેલા જમાલપુર ચકલામાં મહિલાઓની ભીડનો વીડિયો વાયરલ થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર