ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના કેસમાં આજે ફરી કેસમાં વધારો થયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 800 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 889 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 826 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.67 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5675 એક્ટિવ કેસ છે. જેમાંથી 11 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5664 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,33,370 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,964 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


ગુજરાતમાં ક્યારથી લાગુ થઈ દારૂબંધી, જાણો કયા મહારાણીએ દારૂબંધીને ગણાવી મોટી અડચણ


જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 315 કેસ સામે આવ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં 64, સુરત કોર્પોરેશનમાં 52, મહેસાણામાં 46, પાટણમાં 44, રાજકોટ કોર્પોરેશનમાં 41, વડોદરામાં 31, ગાંધીનગર કોર્પોરેશનમાં 27, કચ્છમાં 24, સાબરકાંઠામાં 22, નવસારીમાં 20, રાજકોટમાં 19, સુરતમાં 19, આણંદમાં 16, અમરેલીમાં 14, ભાવનગર કોર્પોરેશનમાં 13, ખેડામાં 13, વલસાડમાં 13, જામનગર કોર્પોરેશનમાં 12, મોરબીમાં 11, અમદાવાદમાં 9, ભરૂચમાં 9, ગાંધીનગરમાં 9, પોરબંદરમાં 9, બનાસકાંઠામાં 8, ભાવનગરમાં 4, સુરેન્દ્રનગરમાં 4, અરવલ્લીમાં 3, દેવભૂમિ દ્વારકામાં 3, ગીર સોમનાથમાં 3, તાપીમાં 3, બોટાદમાં 2, જામનગરમાં 2, જૂનાગઢમાં 2, દાહોદમાં 1, જૂનાગઢ કોર્પોરેશનમાં 1 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે.


ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ, જાણો કઈ રીતે દારૂ બની જાય છે ઝેરી લઠ્ઠો


જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 310 દર્દી સાજા થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 44, સુરત કોર્પોરેશનમાં 57, મહેસાણામાં 45, પાટણમાં 16, રાજકોટ કોર્પોરેશનમાં 39, વડોદરામાં 21, ગાંધીનગર કોર્પોરેશનમાં 24, કચ્છમાં 24, સાબરકાંઠામાં 2, નવસારીમાં 5, રાજકોટમાં 16, સુરતમાં 28, આણંદમાં 11, અમરેલીમાં 11, ખેડામાં 6, વલસાડમાં 12, જામનગર કોર્પોરેશનમાં 19, મોરબીમાં 10, અમદાવાદમાં 8, ભરૂચમાં 22, ગાંધીનગરમાં 17, પોરબંદરમાં 13, બનાસકાંઠામાં 21, ભાવનગરમાં 4, સુરેન્દ્રનગરમાં 5, અરવલ્લીમાં 3, દેવભૂમિ દ્વારકામાં 23, તાપીમાં 2, જામનગરમાં 2, દાહોદમાં 1, જૂનાગઢ કોર્પોરેશનમાં 4 અને નર્મદામાં 1 દર્દીઓ સાજા થયા છે.


કથિત લઠ્ઠાકાંડમાં ZEE 24 કલાક પર EXCLUSIVE માહિતી, જાણો દર્દીઓના બ્લડમાંથી શું મળ્યું?


જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,96,278 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 2,090 ને રસીનો પ્રથમ અને 6,647 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 212 ને રસીનો પ્રથમ અને 1,631 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 31,279 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 3,676 ને રસીનો પ્રથમ અને 3,350 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 2,47,393 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,43,02,028 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube