ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કેસમાં આજે વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 19 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન કોઈ વ્યક્તિનું નિધન થયું નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાની સારવાર બાદ 13 દર્દીઓ સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8 લાખ 25 હજાર 509 પર પહોંચી ગઈ છે. તો કોરોનાને કારણે અત્યાર સુધી 10 હજાર 82 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 15 હજાર 257 લોકો સાજા થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેરમાં ફરી વધ્યા કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. અમદાવાદમાં કુલ 9 કેસ નોંધાયા છે. તો સુરત શહેરમાં 3, વડોદરા શહેરમાં 3, કચ્છ જિલ્લામાં 2, ભાવનગર શહેરમાં 1 અને સોમનાથમાં એક કેસ સામે આવ્યો છે. આમ જોઈએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસમાં વધારો થયો છે. રાહતની વાત છે કે એકપણ વ્યક્તિનું નિધન થયું નથી. 


આ પણ વાંચોઃ Ahmedabad: અમેરિકન દંપતીએ શિશુગૃહમાંથી પાંચ વર્ષની બાળકીને લીધી દતક


રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 152 છે, જેમાં 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો રાજ્યમાં અત્યાર સુધી 8,15,275 લોકો કોરોનાને માત આપી સાજા થઈ ગયા છે. કોરોનાને કારણે રાજ્યમાં 10,0,82 લોકોના નિધન થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા છે. 


રાજ્ય રસીકરણમાં આગળ
ગુજરાતમાં કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે કોરોના રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે સાંજે 4 કલાક સુધીમાં 6 લાખ 1 હજાર 254 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કુલ 4 કરોડ 97 લાખ 4 હજાર 707 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube