ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 600 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 874 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 1030 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.63 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 6,257 એક્ટિવ કેસ છે. જેમાંથી 13 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6,244 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,39,423 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,971 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


રાજ્યના આ પાંચ શહેરો માટે મુખ્યમંત્રીએ કરી જાહેરાત, આ વર્ગોના લોકો કરાઈ આ જોગવાઇ


જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 287 કેસ સામે આવ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં 92, ગાંધીનગર કોર્પોરેશનમાં 41, વડોદરામાં 38, મહેસાણામાં 37, સુરત કોર્પોરેશનમાં 35, ગાંધીનગરમાં 34, રાજકોટ કોર્પોરેશનમાં 31, પાટણમાં 26, કચ્છમાં 25, રાજકોટમાં 25, બનાસકાંઠામાં 21, મોરબીમાં 19, સુરતમાં 18, ભાવનગર કોર્પોરેશનમાં 16, નવસારીમાં 15, સાબરકાંઠામાં 15, આણંદમાં 13, વલસાડમાં 13, અમરેલીમાં 12, જામનગર કોર્પોરેશનમાં 9, અમદાવાદમાં 8, ભરૂચમાં 8, અરવલ્લીમાં 6, ગીર સોમનાથમાં 6, ખેડામાં 6, પંચમહાલમાં 6, જામનગરમાં 4, સુરેન્દ્રનગરમાં 3, જૂનાગઢમાં 2, પોરબંદરમાં 2, બોટાદમાં 1 અને તાપીમાં 1 કેસ નોંધાયો છે.


એમપીમાંથી હથિયારની કરી ખરીદી, અમદાવાદ વેચવા આવેલા જામનગરના શખ્સોની ધરપકડ


જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 315 દર્દી સાજા થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 64, ગાંધીનગર કોર્પોરેશનમાં 27, વડોદરામાં 31, મહેસાણામાં 107, સુરત કોર્પોરેશનમાં 52, ગાંધીનગરમાં 10, રાજકોટ કોર્પોરેશનમાં 41, પાટણમાં 44, કચ્છમાં 38, રાજકોટમાં 21, બનાસકાંઠામાં 17, મોરબીમાં 11, સુરતમાં 20, ભાવનગર કોર્પોરેશનમાં 62, નવસારીમાં 23, સાબરકાંઠામાં 18, આણંદમાં 16, વલસાડમાં 13, અમરેલીમાં 27, જામનગર કોર્પોરેશનમાં 12, અમદાવાદમાં 9, ભરૂચમાં 18, અરવલ્લીમાં 3, ગીર સોમનાથમાં 4, ખેડામાં 6, પંચમહાલમાં 4, જામનગરમાં 2, સુરેન્દ્રનગરમાં 4, જૂનાગઢમાં 1, પોરબંદરમાં 4, તાપીમાં 3, જૂનાગઢ કોર્પોરેશનમાં 2 અને ભાવનગરમાં 1 દર્દીઓ સાજા થયા છે.


વિદેશ જવાની તૈયારી કરતા ગુજરાતીઓ સૌથી પહેલા આ સમાચાર જાણી લો... પછી ના કહેતા આવું થયું


જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,68,820 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1,727 ને રસીનો પ્રથમ અને 5,005 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 161 ને રસીનો પ્રથમ અને 2003 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 37,318 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 3,625 ને રસીનો પ્રથમ અને 5,951 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 2,13,030 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,71,16,059 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube