ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1124 કેસ સામે આવ્યા છે. તો આ મહામારીને લીધે વધુ 6 લોકોના મૃત્યુ થયા છે. તો ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 995 દર્દીઓ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 87 હજાર 240 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 3739 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 170931 લોકો સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 198 કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં 143, વડોદરામાં 100, રાજકોટ 96, બનાસકાંઠા 60, મહેસાણા 55, રાજકોટ ગ્રામ્ય 48, સુરત ગ્રામ્ય 42, વડોદરા ગ્રામ્ય 35, સુરેન્દ્રનગર 33, ગાંધીનગર શહેર 32, પાટણ 30, સાબરકાંઠામાં 22 કેસ નોંધાયા છે. 


ભૂતપૂર્વ Dy.CM નરહરિ અમીન અને તેમના પત્ની કોરોના પોઝિટિવ, યુ.એન મહેતામાં સારવાર હેઠળ


છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા મૃત્યુની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે. આ સિવાય અમરેલી, બનાસકાંઠા, ગાંધીનગર શહેર, અમરેલી અને સુરત શહેરમાં એક-એક વ્યક્તિના નિધન થયા છે. 


[[{"fid":"292031","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
રાજ્યમાં આજની તારીખે કોરોના વાયરસના એક્ટિવ કેસ 12512 છે. જેમાં 71 દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 170931 દર્દીઓ સાજા થયા છે. તો મૃત્યુઆંક 3797 છે. તો રાજ્યનો રિકવરી રેટ 91.29 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52 હજાર 973 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધી કુલ 67 લાખ, 87 હજાર 440 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube