અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 1730 કેસ નોંધાયા હતા. બીજી તરફ 1255 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,77,603 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 95.60 ટકા પર પહોંચી ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gandhinagar: PSI ભરતી વિવાદ અંગે ગૃહમંત્રીની મોટી જાહેરાત, જાણો શું છે સમગ્ર અપડેટ


અત્યાર સુધીમાં કુલ 34,94,277 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,09,464 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 41,03,741 લોકોને રસી આપવામાંઆવી છે. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,14,172 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિમાં રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 


Surat: મહિલા પાણી માટે તડપતી રહી પરંતુ કોઇએ ટીપુ પાણી ન પીવરાવ્યું, આખરે મોત


રાજ્યમાં કોરોનાનાં કુલ 1730 દર્દી નોંધાયા અને રાજ્યમાંથી 1215 દર્દીઓ સાજા થયા. આ ઉપરાંત રાજ્યનો રિકવરી રેટ ઘટીને 95.60 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,77,603 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ કુલ 7318 કોરોનાના એક્ટિવ કેસ છે. 76 લોકો વેન્ટિલેટર પર છે. 7242 લોકો સ્ટેબલ છે. 2,77,603 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4458 લોકોનાં અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે આજે કુલ 04 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનાં 2 અને સુરત કોર્પોરેશનનાં 2 સહિત કુલ 04 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube