હિતલ પારેખ, ગાંધીનગર: મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ અશ્વિનીકુમારે પ્રેસ કોન્ફન્સમાં મહત્વની માહિતી આપી. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા સીટી લિમિટ બહાર 35 હજાર કરતા વધુ ઉદ્યોગો શરૂ થયા છે. જ્યારે સવા ત્રણ લાખથી વધુ લેબર કામ કરી રહ્યાં છે. જીઆઈડીસી એરિયા પણ ધીમે ધીમે ધમધમવા માંડ્યા છે. તેમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે ઉદ્યોગોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. એક્સપોર્ટમાં કામ કરતા હોય તેવા યુનિટો 25 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. સીટી વિસ્તારમાં આવતા હોય તો તેમને પણ મંજૂરી મળશે. જો કે તે hotspot ke કન્ટેન્ટની બહાર હોવા જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકારે લીધા મહત્વના નિર્ણય
અશ્વિનીકુમારે કહ્યું કે એક્સપોર્ટમાં કામ કરતા હોય તેવા યુનિટો 25 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. સીટી વિસ્તારમાં આવતા હોય તો તેમને પણ મંજૂરી મળશે. જો કે તે hotspot ke કન્ટેન્ટની બહાર હોવા જોઈએ. આવા ઉદ્યોગોએ સરકારમાં અરજી કરવાની રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા બીજો પણ એક મહત્વનો નિર્ણય લેવાયો જે મુજબ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ 66 લાખ જેટલા કુટુંબોને દર મહિને રાશનની દુકાનેથી રાશન લે છે. તેમને 25 એપ્રિલથી વ્યક્તિગત સાડા ત્રણ કિલો ઘઉ અને દોઢ કિલો ચોખા વિના મૂલ્યે આપવામાં આવશે. 


આ પદ્ધતિથી કરાશે વિતરણ
આ નિર્ણય અંતર્ગત જે રાશનકાર્ડનો આંકડો એક અને બે હોય તેમને 25 એપ્રિલે રાશન મળશે જ્યારે ત્રણ અને ચાર આંકડાવાળાને 25 એપ્રિલે, પાંચ કે છ હોય તેમને 27 એપ્રિલે, સાત અને આઠ હોય તેમને 28 એપ્રિલના રોજ અને 9 કે શૂન્ય હોય તેમને 29 એપ્રિલે વિનામૂલ્યે અનાજ અપાશે. બાકી જે કોઈ રહી જાય તેમના માટે 30મી તારીખે વ્યવસ્થા કરવામાં આવશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર