મુસ્તાક દલ, જામનગર: આખરે જામનગર જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થતા આજથી મોટા ભાગના ધંધા વ્યવસાય ધમધમતા થશે. જિલ્લા  કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને દુકાનો અને ઓફિસો ખોલવાની મંજૂરી આપી છે. સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી જામનગરમાં દુકાનો ખોલી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ  જામનગર જિલ્લાનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરાયેલો હતો. પરંતુ હવે ગ્રીન ઝોનમાં સમાવેશ થતા લોકડાઉન 3.0માં લોકોને વધુ રાહત મળી છે. જીવન જરૂરિયાતના વેપારને સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રાખવાની મંજૂરી મળી છે. અન્ય દુકાનો અને ઓફિસો પણ સવારે 10થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે. જો કે સાંજના 7 વાગ્યાથી લઈને સવારના 7 વાગ્યા સુધી બિનજરૂરી અવરજવર પર રોક લગાવવામાં આવી છે. બસ અને રિક્ષાઓ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ રહેશે. ચાની કીટલીઓ અને પાનના ગલ્લા જો કે બંધ રહેશે. ઠંડા પીણાં, મીઠાઇ ફરસાણ અને ફાસ્ટફુડની દુકાનો પણ બંધ રહેશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube